રાણીની વાવ પાટણ

પ્રસ્તાવના

ગુજરાત માં સ્થિત રાણીની વાવ પાટણ એ ભારતની સૌથી અદભુત વાવો માંથી એક છે. તે માત્ર વાવ જ નહીં પરંતુ પ્રેમની નિશાની છે જેને એક રાણીએ પોતાના પતિની યાદમાં બનાવડાવી હતી. 11 મી સદીમાં બનેલ આ વાવની અંદર ઉપયોગ થયેલ ટેકનોલોજીને જોઈને તમે પણ દંગ રહી જશો. 

Explore the intricate architecture of Rani Ki Vav, a UNESCO World Heritage site in Gujarat, India.

જેવી રીતે ગાંધીનગર એ આજે ગુજરાતનું કેપિટલ છે તેવી જ રીતે પાટણ એ ચાવડા વંશ ના સમયે ગુજરાતનું કેપિટલ હતું. સૌપ્રથમ આપણે વાત કરીએ પાટણની તો પાટણનું જૂનું નામ અણહિલવાડ પાટણ હતું. આ અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ તેના મિત્ર અણહિલ નામના ભરવાડ ના નામ પરથી ઈસવીસન 546 માં કરી હતી. અણહીલ કોણ હતો તો અણહિલ એ વનરાજ ચાવડા નો મિત્ર હતો જેણે વનરાજ ચાવડા માટે ખૂબ જ સારું કાર્ય કર્યું હતું. સમયાંતરે આ અણહિલવાડ પાટણ અપભ્રંશ થઈને પાટણ થઈ ગયું. ચાવડા વંશે ગુજરાતમાં 200 વર્ષ શાસન કર્યું. ચાવડા વંશ નો છેલ્લો રાજા હતો સામંતસિંહ ચાવડા. સામંતસિંહ ચાવડાને કોઈ પુત્ર ન હતો તેથી તેમના પોતાની બહેનના દીકરો એટલે કે ભાણાને ગાદી ઉપર બેસાડ્યો હતો જેનું નામ હતું મૂળરાજ સોલંકી. સોલંકી એટલે કે સોલંકી એટલે કે ચૌલુક્ય. સોલંકી વંશે ગુજરાતમાં 350 વર્ષ શાસન કર્યું અને નોંધપાત્ર વિકાસ કર્યો તેથી સોલંકી વંશને ગુજરાતનું સુવર્ણકાળ માનવામાં આવે છે. સોલંકી વંશનો પ્રથમ રાજા થયો મૂળરાજ સોલંકી તેનો પુત્ર હતો ચામુંડરાજ, ચામુંડરાજ નો પુત્ર નાગરાજ અને ત્યારબાદ ભીમદેવ સોલંકી પહેલો જેણે મોઢેરાનું સૂર્યમંદિર બનાવડાવ્યું હતું. 

ઇતિહાસ 

પાટણની રાણીની વાવ રાણી ઉદયમતીએ બનાવડાવી હતી. રાણીએ ઉદયમતીએ બનાવડાવી હોવાથી તેને રાણીની વાવ કહેવામાં આવે છે.

રાણીની વાવ ક્યારે બની???

તો રાણીની વાવ ઇસવીસન 1022 થી 1063 વચ્ચે બનાવવામાં આવી હતી. આ વાવને બનાવવામાં 41 વર્ષો થયા હતા. તેથી આ વાવને 1000 વર્ષ 2022માં પૂરા થઈ ગયા. મોટાભાગે રાજા પોતાની રાણીના માટે આવું મોનીમેન્ટ બનાવતા હોય છે, પરંતુ અહીં ઊલટું છે. અહીં રાણીએ પોતાના રાજાની યાદમાં આ મોનિમેન્ટ બનાવ્યું હતું. રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ સોલંકી પહેલાની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. 

રાણી એ વાવ જ કેમ બંધાવી??

રાણીએ વાવજ કેમ બંધાવી તો એના ત્રણ કારણો છે.

પહેલું છે રાજસ્થાન અને ગુજરાતમાં આપણે જોઈશું તો ત્યાં વાવ વધુ જોવા મળે છે કારણ કે જ્યાં પાણીની કમી હોય છે ત્યાં વધુને વધુ પાણી સ્ટોર કરી શકાય તે માટે વાવ,કુવા વગેરે બનાવવામાં આવે છે.

બીજું કે પહેલા રાજાઓના મૃત્યુ બાદ રાણી સતી થતી હતી પરંતુ અહીં રાણી સતી ન થઈ પરંતુ પોતાના પતિની યાદમાં વાવનું નિર્માણ કર્યું અને સતીપ્રથાનો વિરોધ કર્યો. 

ત્રીજું કે તેના પતિની કીર્તિ અમર રહે અને પ્રેમનો પ્રતીક જળવાઈ રહે તે માટે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

વાસ્તુકલા અને વિશેષતા 

રાણીની વાવનું આખું સ્ટ્રક્ચર સેન્ડ સ્ટોનથી બનાવવામાં આવ્યું છે.આ સેન્ડસ્ટોન ગુજરાતના સૌરાષ્ટ્રના ધાંગધ્રા કે જે પાટણથી 200 કિલોમીટર દૂર છે ત્યાંથી લાવવામાં આવેલ છે. આખું સ્ટ્રક્ચર ઇન્ટરલોક સ્ટોન લોકિંગ સિસ્ટમથી બનાવવામાં આવ્યું છે.તે એવું લોકિંગ સિસ્ટમ છે જેમાં જે પિલર ઊભા છે તેમાં મેલ ફીમેલ એક પથ્થરમાં હોલ કરીને બીજો પથ્થર તેમાં ફિટ કરવામાં આવે છે. તેમાં સિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવતો નથી. વચ્ચેના ભાગમાં વુડલોકિંગ કરવામાં આવે છે બે પથ્થરોની વચ્ચેના ગેપમાં સાત અથવા સીસમનું લાકડું ફીટ કરવામાં આવે છે જે વરસાદ આવવાથી એક્સટેન્ડ થાય તો પણ બહાર નહીં નીકળે અને જો ભૂકંપ આવશે તો પણ સ્ટ્રક્ચર વાઇબ્રેટ થશે પણ એક પણ પથ્થર પડશે નહીં 2001 માં ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ આખું સ્ટ્રકચર વાઇબ્રેટ થયું હતું પરંતુ એક પણ પથ્થર પડ્યો ન હતો. 

Nanda type rani ki Vav

આ વાવ 64 મીટર લાંબી અને 20 મીટર પહોળી છે ઉપરથી કુવો 27 મીટર ઊંડો છે. મુખ્યત્વે વાવના ચાર પ્રકાર હોય છે. જયા વિજયા નંદી અને ભદ્રા. આ વાવ નંદી પ્રકારની છે એટલે કે આપણે જ્યાંથી અંદર જઈએ ત્યાંથી જ બહાર આવવું પડે છે. તમે લોકોએ ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવ જોઈ હશે તે ભદ્રા પ્રકારની વાવ છે જેમાં અંદર ગયા બાદ બહાર આવવા માટે બે રસ્તાઓ હોય છે. તેને વીર સિંહ વાઘેલા એ પોતાની રાણી રૂડાવતી માટે 1499 માં બનાવડાવી હતી. 

રાણીની વાવ નંદી પ્રકારની વાવ છે જેના શિખર ની ડિઝાઇન નાગર પ્રકારની છે જેને મારું ગુર્જર શૈલી પણ કહેવામાં આવે છે અને સંપૂર્ણ વાવ વાસ્તુશાસ્ત્રના આધારે બનાવવામાં આવી છે જેમાં અષ્ટ દિગપાલ દર્શાવવામાં આવ્યા છે. રાણી ઉદયમતીએ તેની નક્કાશીમાં પોતાના કારીગરો પાસે તાલમેલ કરાવ્યો છે.

વાવમાં આવેલી મૂર્તિઓની વિશેષતા. 

અહીં ભગવાન વિષ્ણુના દશાવતાર દર્શાવવામાં આવ્યા છે. અહીં 299 અપ્સરાઓની મૂર્તિઓ તથા તેમને તે સમયની નારીઓની જે મેકઅપ સ્ટાઇલ છે,હેર સ્ટાઈલ છે 16 પ્રકારના સિંગાર અને આંખમાં કાજળ લગાવવું વગેરે કરતી દેખાડવામાં આવી છે.  જે તે સમયે વાવ સાત માળની હતી તેમાંથી એક માળ તૂટી ગયો છે અત્યારે છ માળની વાવ બચી છે 13 મી સદીમાં સરસ્વતી નદીમાં પુર આવવાથી આખું સ્ટ્રક્ચર તૂટી ગયું છે. એટલે વાવનો ઉપરનો થોડો ભાગ નવો બનાવવામાં આવ્યો છે.

એક મૂર્તિ માં શિવ પાર્વતી ને તેમનો મોટો પુત્ર કાર્તિકેય પોતાના માતા પિતાને પ્રણામ કરી રહ્યો છે તેમના પગમાં મોરનું ચિન્હ છે કારણ કે કાર્તિકેયનું વાહન મોરને ગણવામાં આવે છે.

અન્ય એક મૂર્તિ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે જેમાં તેમની બાજુમાં કમળ હાથમાં લઈને લક્ષ્મીજી ઊભા છે. 

બંને બાજુ ઉત્તર- પશ્ચિમ ખૂણામાં વાયુદેવ પોતાની પત્ની સાથે ઊભા છે તેમના પગમાં હરણ છે. આજે પણ આપણા ઘરની બારીઓ હવા ઉજાસ માટે ઉત્તર પશ્ચિમ બનાવીએ છીએ. 

બંને બાજુ દક્ષિણ પૂર્વ બાજુએ અગ્નિ દેવતા ની મૂર્તિઓ છે જેમના પગમાં ઘેટું છે આજે પણ વાસ્તુ પ્રમાણે રસોડું અગ્નિ ખૂણામાં હોય છે. 

ભગવાન વિષ્ણુ નો કલકી અવતાર દેખાડવામાં આવ્યો છે જેમને પગમાં ગમબૂટ પહેર્યા છે. એ સિવાય એક અપ્સરા ના પગમાં હીલ વાળા ચપ્પલ પણ જોવા મળે છે. 

હનુમાનજીની મૂર્તિ છે જેમાં બંને પનોતીઓને ભગવાન હનુમાનજીએ તેમના પગની નીચે દબાવીને રાખે છે. તેથી આપણે આપણી પનોતીઓ દૂર કરવા માટે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવું જોઈએ. 

પૂર્વ બાજુએ ભગવાન ઈન્દ્રની મૂર્તિ છે તેમનું વાહનૈરાવત હાથી છે તેથી તેમના પગ પાસે હાથીની મૂર્તિ છે. 

એક પગથીયા ઉપર દરેક પિલર જે વાવના બનાવેલા છે તેની બ્લુ પ્રિન્ટ દોરવામાં આવી છે. તેમાં ઇન્ટરલોકિંગ સિસ્ટમને સ્પષ્ટ રીતે સમજી શકાય છે.

એક બારીમાં ભગવાન વિષ્ણુ સ્વર્ગમાં સુતા છે. અહીં ભગવાન વિષ્ણુની ત્રણ મૂર્તિઓ છે જેમાં સ્વર્ગ ભૂમિ અને પાતાળ એમ ત્રણ લોકમાં ભગવાન વિષ્ણુને સુતા બતાવ્યા છે એટલે કે અનંત પદ્મનાભ.

રાણીની વાવમાં કુલ 299 અક્ષર આવો છે એક અપ્સરા આંખમાં કાજળ કરી રહી છે જે દર્શાવે છે કે તે સમયે સ્ત્રીઓ શૃંગાર કરતી હશે. એક અપ્સરા ના ખોળામાં એક બાળક રમી રહ્યું છે જે માતૃપ્રેમ દર્શાવે છે. 

એક મૂર્તિ ચામુંડેશ્વરી માતા ની છે જેમના હાથમાં ત્રિશૂળ છે. એ સિવાય વિષ્ણુ ભગવાનની ચાર મૂર્તિઓ જેમના હાથમાં ગદા, શંખ, ચક્ર અને પદ્મ છે તેવી આવેલી છે. 

rani ki vav
મહિષાસુરમર્દીની મા ભગવતી દુર્ગા

તેનાથી નીચેની સાઈડ ચોરસમાં વિવિધ ભાત પાડવામાં આવી છે પાટણના પટોળા ની ભાત એટલે કે ડિઝાઇન તેમાંથી જ લેવામાં આવી છે તેથી તેને પાટણના પટોળા ની ડિઝાઇન કહેવામાં આવે છે. 

ભગવાન વિષ્ણુના રામા અવતાર પણ અહીં સ્પષ્ટ દેખાય છે તેમની આજુબાજુ દશાવતાર દર્શાવવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુના વામન અવતારની મૂર્તિ પણ અહીં જોવા મળે છે. 

વિષ્ણુ ભગવાનનો વરાહ અવતાર તેમની આજુબાજુ ભૂમિ માતા સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળે છે. પાતાળની નાગ કન્યા પણ આજમૂર્તિમાં જોવા મળે છે. 

કાળભૈરવની મૂર્તિઓ પણ છે જેમના પગમાં કુતરાની મૂર્તિ છે.

એક વિષ કન્યા ની મૂર્તિ છે કે જેના પગમાં સાપ બતાવવામાં આવ્યો છે. ચાણક્ય નીતિમાં પણ આ વિષ કન્યાનો ઉલ્લેખ છે. જે રાજાને પોતાના મોહમાં ફસાવીને વિષ આપીને મૃત્યુ દંડ આપે છે.

ભગવાન કૃષ્ણની સાથે બલરામજી ની એક મૂર્તિ છે જેમના મસ્તિષ્ક ની પાછળ શેષનાગ છે હાથમાં કમળ છે હળ છે અને દંડ છે. 

મહાભારત સમયના કીચકની મૂર્તિ પણ અહીં દર્શાવવામાં આવી છે કે જેનો વધ ભીમ દ્વારા કરવામાં આવ્યો હતો. અને બધા જ પીલરમાં પવિત્ર કળશની કોતરણી જોવા મળે છે. 

યુનેસ્કો 

માત્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં આ એકમાત્ર મોન્યુમેન્ટ એવું છે જેને રાણીએ પોતાના પતિની યાદમાં બનાવ્યું હતું.

સો રૂપિયાની નવી નોટ ઉપર પણ રાણી ની વાવનું પ્રતીક ભારત સરકાર દ્વારા છાપવામાં આવ્યું છે. આ સિમ્બોલ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આ મોન્યુમેન્ટ એક રાણીએ બનાવડાવ્યું છે અને તેને 100 ની નોટમાં રાખવાનું કારણ એ છે કે હંમેશા નારીનું ગૌરવ વધે હંમેશા નારીનું સન્માન થાય એટલા માટે 100 ની નોટ ઉપર તેને આપવામાં આવ્યું છે.

અહીંથી બે કિલોમીટર દૂર સરસ્વતી નદી હોવાનું માનવામાં આવે છે જે લુપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેરમી સદીમાં સરસ્વતી નદીમાં બહુ મોટું પુર આવ્યું હતું જેમાં આખું સ્ટ્રકચર જમીનમાં ઘસી ગયું હતું. માત્ર કુવાનું સ્ટ્રક્ચર ખુલ્લું હતું બાકીનું સ્ટ્રક્ચર જમીનમાં ઘસી ગયું હતું. અત્યારે આજુબાજુ જે બગીચો છે ત્યાં ખેડૂતોના ખેતરો હતા તે લોકો આ કુવામાંથી કોશ દ્વારા પાણીનો ઉપયોગ જમીનમાં સિંચાઈ કરવા માટે કરતા હતા. પરંતુ ખેડૂતોને ખબર ન હતી કે નીચે આખું સ્ટ્રક્ચર દબાયેલું છે. ASI એ તેના ઉપર રિસર્ચ કર્યું અને ASI એ 1958 થી ખોદકામ કરવાનું શરૂ કર્યું હતું અને 1990 માં પૂરું કર્યું. બનવામાં 42 વર્ષો થયા અને ખોદકામ કરવામાં 32 વર્ષો થયા. 22 જૂન 2014 ના દિવસે વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કોમાં તેને સ્થાન મળ્યું.યુનેસ્કોની ઓફીસીયલ સાઈટ https://whc.unesco.org/en/list/922/ ઉપર પણ તમે એ જોઈ શકશો. એ સિવાય પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર પાવાગઢ ને 2004માં દરજ્જો મળ્યો હતો અને અમદાવાદ સિટીને 2017માં વર્લ્ડ હેરિટેજ સિટી નો દરજ્જો મળ્યો છે.

rani ki vav
rani ki vav is now world heritage site declared by UNESCO

ટ્રાવેલ ગાઈડ 

અહીં કેવી રીતે પહોંચવું??

રાણીની વાવ એ અમદાવાદથી 132 કિલોમીટર દૂર પાટણ જિલ્લાના વડા મથક માં આવેલી છે. અહીં સુધી જવા માટે સરકારી વાહનો પણ મળી રહે છે તથા પ્રાઇવેટ વહીકલ લઈને પણ જઈ શકાય છે.

ટાઈમિંગ્સ અને ફી 

રાણીની વાવ સામાન્ય રીતે સવારે 8:00 થી સાંજે છ વાગ્યા સુધી ખુલી રહે છે તથા તેને જોવા માટે ની ટિકિટ માત્ર ₹40 ઇન્ડિયન માટે અને ₹600 ફોરેનર્સ માટે રાખવામાં આવ્યા છે. તેને જોવા જવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો ગણાય છે કારણ કે ત્યારે વાતાવરણ એકદમ સોમ્ય હોય છે.

19 નવેમ્બરે દર વર્ષે વર્લ્ડ હેરિટેજ વિકમાં અહીં ખૂબ જ સુંદર લાઇટિંગ ગોઠવવામાં આવે છે તો દરેક ટુરિસ્ટ એ આ અઠવાડિયામાં રાણીની વાવ જોવા માટે જરૂર સુંદર સમય ગણી શકાય.

સારાંશ 

રાણીની વાવ એ વિશ્વનું એક અદભુત મોન્યુમેન્ટ છે જેને દરેક ટુરીસ્ટે એક વખત વિઝીટ કરવા જેવું છે જેની અદભુત કોતરણી એ ભારતના અમૂલ્ય વારસો અને ક્યાંય પણ જોવા ન મળે તેવી ટેકનોલોજી નો અદભુત સંગમ છે. તેની આજુબાજુ માત્ર સો કિલોમીટર ની રેન્જમાં પટોળા હાઉસ,સહસ્ત્રલિંગ તળાવ અને મોઢેરાનું સૂર્યમંદિર જેવા જોવાલાયક સ્થળો પણ આવેલા છે.

ચાંપાનેર-પાવાગઢ : ગુજરાતનું છુપાયેલું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ અને પ્રવાસ માર્ગદર્શિકા

ચાંપાનેર-પાવાગઢ ના મોંગા પથ્થરોએ ગુજરાતને વર્લ્ડ હેરિટેજ ના નકશા પર મૂક્યું છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ આ સ્થળને એટલે કે ચાંપાનેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ 2004 ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો આપી ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને બહુમાન બક્ષ્યું છે. વિશ્વમાં કુલ 851 વર્લ્ડ હેરિટેજ સ્થળ છે જેમાં હવે ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

ચાંપાનેર-પાવાગઢ

ચાંંપાનેર-પાવાગઢ કઈ રીતે જવું

વડોદરા થી 47 કિલોમીટર દૂર ઇશાન બાજુએ આ ઐતિહાસિક નગર આવેલું છે. પાવાગઢ પર્વત ઉપર માતા મહાકાલી નું પરમધામ લગભગ 850 મીટર ઊંચાઈએ આવેલું છે. આ સ્થળ સદીઓથી પૂજા અને યાત્રાના સ્થળ તરીકે જાણીતું છે અહીંયા મહર્ષી વિશ્વાવામિત્રએ શ્રીમહાકાલી માતાજીની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. અહીં સુઘી પહોંચવા માટે માંચી ગામ સુઘી સરકારી બસની સુવિઘા તથા પ્રાઈવેટ વાહનો પણ મળી રહે છે. ત્યાર બાદ માંચી થી રોપવે ની સુવિઘા પણ ઉપલબ્ઘ છે. જેનુ બુકીંગ તમે https://udankhatola.com/destination/kali-devi પરથી કરી શકો છો.

આ નૈસર્ગિક પર્વત પર આવેલા ચંપક નગરના રક્ષણ માટે તેના ઈશાન તરફના ચઢાણ પર જુદી જુદી જગ્યાએ ઘણી કુશળતાપૂર્વક કિલ્લેબંધી કરવામાં આવી છે.

ચાંપાનેર-પાવાગઢ

 

ચાંપાનેર-પાવાગઢ નો સંક્ષિપ્ત ઇતિહાસ 

ઇતિહાસકારોના માનવા પ્રમાણે વનરાજ ચાવડાના મંત્રી ચાંપા ભીલ (પાછળથી તે ચાંપરાજ તરીકે ઓળખાયો હતો)દ્વારા આ નગર વસાવવામાં આવ્યું હતું. આ જગ્યાએ ઇસવીસનની પહેલી સદીથી માનવ વસવાટ શરૂ થયો હતો આશરે ઈસવીસન 1300 માં અહી ચૌહાણ એ અહીં પોતાની રાજધાની સ્થાપી અને ઇસવીસન 1424 સુધી પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી. 184 વર્ષ સુધી સ્વતંત્ર રહેલા પાવાગઢના ચાંપાનેર ને મહંમદ બેગડાએ પોતાની રાજધાની બનાવી અને તેને મહમદાબાદ નામ આપ્યું હતું અને અહીંની ટંકશાળમાં પોતાનું ચલણી નાણું તૈયાર કર્યું હતું. 

 

ચાંપાનેર-પાવાગઢ

 

આશરે અડધી સદી બાદ ઈસવીસન 1535 માં સુલતાન બહાદુર શાહ ના કાળમાં દિલ્હીના બાદશાહ હુમાયુ દ્વારા ચાંપાનેર પર હુમલો કરી તેને જીતવામાં આવ્યું ત્યારબાદ અહીંથી રાજધાની બદલવામાં આવી ત્યારબાદ ચાંપાનેર નું પતન થયું.

ચાંપાનેર-પાવાગઢ

 

ચાંપાનેર-પાવાગઢ ના ફરવા લાયક સ્થળો 

ચાંપાનેરમાં આવેલ કુલ 38 સ્મારકો માંથી ભગવાન લકુલેશ મંદિર સૌથી જૂનું આશરે દસમી સદી કે કે 11મી સદીનું સૌથી જૂનું સ્થાપત્ય છે. પર્વત પરના બીજા મહત્વના સ્થાપત્યોમાં પતેય રાવળનો મહેલ, નવલખા ઠાકોર તથા મકાઈના કોઠાર તરીકે જાણીતો દુર્ગ, જૈન દેરાસર, દૂધિયું તળાવ વગેરે આવેલ છે.

 

ચાંપાનેર-પાવાગઢ

 

 ચાંપાનેર કિલ્લો અને અન્ય ઐતિહાસિક ઈમારતો

પર્વત પરની નીચેના ભાગમાં મોહમ્મદ બેગડા દ્વારા બનાવેલ ચાંપાનેર નો શાહી સમચોરસ કિલ્લો છે. બુર્જોથી સુરક્ષિત આ કિલ્લાના પ્રવેશદ્વાર પાસેના ગુંબજોની કોતરણી મનોહર છે. શાહિ કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચના ના વિવિધ અંગો ભારતીય ઈસ્લામી સુશોભન થી આગવું મહત્વ ધરાવે છે તેના પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે.

ચાંપાનેર-પાવાગઢ

 

ચાંપાનેર-પાવાગઢ ની ઇમારતો ગુજરાતની સ્થાનિક શૈલીના મહત્વના નમુના છે. તેમાં નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો કેવડા મસ્જિદ શહેરની મસ્જિદ લીલા ગુંબજ મસ્જિદ આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે.

 

પૂર્વમાં ચાંપાનેર ની બહારના વડા તળાવ ઉપર ખજુરી મસ્જિદ અને કબૂરત ખાનાના નામે જાણીતું હવા ખાવાનું સ્થળ પણ છે.

 

ચાંપાનેર-પાવાગઢ

 

કાળક્રમે દટાઈ ગયેલા નગરનો કેટલોક ભાગ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનનથી બહાર કાઢવામાં આવ્યો છે તેમાં અમીર મંઝિલના વિવિધ ભાગો માં રહેવાના ઓરડાઓ, વહેતા પાણીની સુંદર રચનાઓ વાળા બગીચાઓ વગેરે મળી આવ્યા છે. તેની મૂળ સ્થિતિ જાળવીને આ ભવ્ય વારસાની સાચવણીનું કાર્ય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નું વડોદરા મંડળ કરે છે.

ચાંપાનેર-પાવાગઢ

 

ગુજરાત સરકારે પણ આ ઐતિહાસિક વારસાના સ્થળની જાળવણી, સંરક્ષણ અને વિકાસ કરવા માટે ઈસવીસન 2000માં ટાસ્ક ફોર્સ ની રચના કરી પોતાનું યોગદાન આપેલું છે.

 

આપણું રાષ્ટ્ર માનવ સંસ્કૃતિના ઉદ્ભવનું મહત્વનું સ્થાન છે અને ઐતિહાસિક સ્મારકોનો વિશાળ ભંડાર છે તેની પ્રતીતિ ચાંપાનેરના અવશેષોને જોઈને થઈ આવે છે.

ચાંપાનેર-પાવાગઢ

ગુજરાતના અન્ય ઐતિહાસિક સ્થળો વિષે જાણવા માટે અહિં ક્લિક કરો.

https://gujaratnivato.com/historical-places/

દ્વારકાઘીશ મંદિરનો ઈતિહાસ

dwarkadhish temple

દ્વારકાઘીશમંદિરનો ઈતિહાસ  :

દ્વારકા એટલે ચારધામમાંથી એક ધામ, દ્વારકા એટલે સપ્તપુરી માંથી એક પૂરી, દ્વારકા એટલે કરોડો લોકોની આસ્થાનો સંગમ દ્વારકા એટલે જગતના અધિપતિ શ્રી કૃષ્ણનુ પરમધામ અને અહીં આવેલું છે જગતપતિ શ્રીકૃષ્ણનું જગત મંદિર. આજે જોઈએ એ પ્રાચીનતમ જગત મંદિર નો ઇતિહાસ…

 

એવું માનવામાં આવે છે કે પ્રવર્તમાન દ્વારકાધીશનું મંદિર એ શ્રી કૃષ્ણ ભગવાનની ચોથી પેઢી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને તેમના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધ ના પુત્ર વજ્ર એ બનાવ્યું હતું. અહીં ગોકુળ મથુરા અને વૃંદાવન વાળા શ્રીકૃષ્ણ નથી પરંતુ અહીં નીતિ- રણનીતિ અને રાજનીતિ વાળા શ્રીકૃષ્ણ દ્વારકાધીશના સ્વરૂપમાં બિરાજે છે.

dwarkadhish temple

 

દ્વારકા નગરી ના નિર્માણ ની વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણ ક્યારે મથુરા છોડીને અહીંયા આવ્યા ત્યારે સૌથી મોટી સમસ્યા એ હતી કે ભગવાન પાસે ભૂમિ ન હતી તો જ્યારે ભૂમિ નહોતી તો ભગવાન શ્રીકૃષ્ણએ સમુદ્ર દેવને પ્રાર્થના કરી અને મદદ માંગી કે તમે મારી મદદ કરી શકો છો સમુદ્ર દેવ એટલે કે શ્રી લક્ષ્મીજીના પિતા સમુદ્ર દેવ્ય કહ્યું કે અમે તમને 12 યોજન ભૂમિ આપી રહ્યા છીએ પરંતુ મારી એક શરત છે કે જેટલી જમીન અમે તમને આપીએ છીએ તે અમને સમય જતા પાછી આપવી પડશે ત્યારે જ અમે તમને જમીન આપી શકીશું સમુદ્ર દેવની શરતો ભગવાન શ્રીકૃષ્ણએ માનીને અહીંયા ની 12 યોજન ભૂમિ ઉપર વિરાટ દ્વારકા નગરીનું નિર્માણ ભગવાન શ્રીવિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું.

dwarkadhish temple

પૌરાણિક કથા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ માતા ગાંધારીનાં શ્રાપના લીધે ભગવાન શ્રીકૃષ્ણના વંશજો વચ્ચે યુદ્ધ થવાથી દ્વારાવતી નો એટલે કે દ્વારકાનો સૂર્ય અસ્ત પામ્યો અને સમુદ્ર દેવને ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા વચન અનુસાર સમુદ્રદેવે પોતાની જમીન પાછી લેવા માટે પ્રયાણ કર્યું અને સમસ્ત દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ હોવાનું માનવામાં આવે છે.

 

આજે પણ જે જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણને જરા નામના પારધીએ પગમાં તીર માર્યું હતું અને જ્યાંથી ભગવાન નિજધામ વૈકુંઠ સીધાવ્યા હતા તે સ્થળે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે જેને ભાલકાતીર્થ નામે ઓળખવામાં આવે છે જે સોમનાથ પાસે આવેલ છે.

 

આજના દ્વારકાધીશ મંદિરની ખાસિયત 

આ મંદિર શાસ્ત્રો પ્રમાણે 5200 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને જો પ્રમાણિત ઈતિહાસ ની વાત કરીએ તો મંદિરના અવશેષો આશરે 1200 વર્ષ જૂના હોવાનું પ્રતિપાદિત થાય છે.

 

dwarkadhish temple

દ્વારકાના ઐતિહાસિક પુરાવા વિશે વાત કરીએ તો દ્વારકાનો સૌથી પહેલો ઉલ્લેખ ભાવનગરના પાલીતાણા માંથી મળેલ એક છઠ્ઠી સદીના તામ્રપત્રમાં જોવા મળે છે.

 

ભગવાન દ્વારકાધીશના દેવાલયને 52 ગજની ધજા છે અને આ 52 ગજની ધજા રોજ પાંચ વાર બદલવામાં આવે છે. આ ધજા જોવામાં આવે તો 27 નક્ષત્ર, 12 રાશિ, 9 ગ્રહ દેવતા અને 4 દિશાઓને મેળવીએ તો 52 ગજ  થાય છે.

dwarkadhish temple

 

આ મંદિરમાં ત્રિલોકના નાથ ભગવાન દ્વારકાધીશ ના નિયમ અને દિનચર્યા ની વાત કરીએ તો ભગવાનને રાજા ની જેમ લાડ લડાવવામાં આવે છે. દરરોજ 4 વખત આરતી, 11 વખત ભોગ, પાન બીડા અને કેસર શરબત અર્પણ કરવામાં આવે છે. રાત્રે ભગવાનને ચોપાટ પણ રમવા માટે આપવામાં આવે છે અને રાત્રે હાલરડા નું ગાન કરીને ભગવાનને સુવડાવામાં આવે છે.મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 7.00થી બપોરના 1.00 સુઘી અને સાંજના 4.00થી 7.30 સુઘીનો હોય છે.

 

dwarkadhish temple

 

જેવી રીતે આપણા સૌનો પરિવાર છે તેવી રીતે ભગવાન દ્વારકાધીશના મુખ્ય દેવાલયના પરિસરમાં તેમનો પરિવાર બિરાજે છે. ભગવાન દ્વારકાધીશ ની એકદમ સામે તેમની માતા દેવકી બિરાજે છે. તથા તે સિવાય આઠ પટરાણીઓ રુકમણી, સત્યભામા, જાંબુવતી, કાલિન્દી, મિત્રવૃંદા, સત્યા, લક્ષ્મણા અને ભદ્રાજી નો મહેલ આવેલો છે. ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમનજી તથા તેમના પુત્ર અનિરુદ્ધજી પણ અહીં બિરાજે છે. આ સિવાય માતા મહાલક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન ભોળાનાથ પણ અહીં બિરાજે છે. 

 

શ્રીદ્વારકાધીશ મંદિરના ચોથા માળે તેમના કુળદેવી શ્રીશક્તિ માતાજી બિરાજેલા છે.

 

dwarkadhish temple

 

ગોમતી નદી અને અરબ સાગરના સંગમ ઉપર વસેલી છે વિશ્વાસ અને ઇતિહાસને જોડતી આજની આધુનિક દ્વારકા નગરી. દ્વારકાની આબાદી 50,000 કરતા પણ ઓછી છે છતાં અહીંયા વર્ષે કરોડો ભક્તોનું ઘોડાપુર આવે છે.

 

આ શહેરે અલગ અલગ કાળમાં અલગ અલગ શાસકોનું શાસન જોયું છે. ગુપ્ત વંશથી લઈને રાજપૂત મરાઠા મુઘલો અને અંગ્રેજો સુધી.

dwarkadhish temple

આજે પણ આ દિવ્ય દ્વારકા ભવ્ય દ્વારકા અને સુશોભિત દ્વારકામાં દ્વારકાધીશના તેજને અહીં મહેસુસ કરી શકાય છે.

ઘુમલીનું નવલખો મંદિર – ગુજરાતનું પ્રાચીનતમ સૂર્ય મંદિર

સુરજથી ધન સાંપડે,

સુરજથી ધણ હોય,

સુરજનું સમરણ કરે,

એને દોખી ન લંજે કોઈ

ગુજરાતના અનેક રાજવંશો માટે ભગવાન આદિત્ય એટલે કે સૂર્ય દેવ આરાધ્ય રહેલા છે. એવા ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલું નવલખો મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર ગણાય છે. આ મંદિરનો નિર્માણકાળ 11મી થી 12મી સદી વચ્ચેનો હોવાનું મનાય છે અને તે પોરબંદરના જેઠવા રાજવંશ દ્વારા બનાવાયું હોવાનું ઈતિહાસ દર્શાવે છે.

navlakha temple ghumali

જો કે ઘણા સંશોધકો માને છે કે નવલખો મંદિર મૂળરૂપે સૂર્ય મંદિર નહોતું પરંતુ શિવ મંદિર હતું, તેમ છતાં આ મંદિરનું સ્થાપત્ય અને તેનું શિલ્પકામ અત્યંત મહત્વપૂર્ણ છે. આ મંદિરને સોલંકી યુગના સ્થાપત્યનું ઉત્તમ દ્રષ્ટાંત માનવામાં આવે છે. ખાસ કરીને તેનું બે માળનું મંડપ અને સૌથી ઊંચી પીઠ તેને અનન્ય બનાવે છે.

Navlakho temple ghumali

મંદિરના ભિંતચિત્રો પર નૃત્યાંગનાઓ, સંગીતકારો અને યોદ્ધાઓનાં અદ્વિતીય શિલ્પો ઊંડાણથી કંડારાયેલા છે. બહારની દિવાલ પર સૂંઢમાં સૂંઢ પરોવાયેલા ત્રણ હાથી યુગ્મો આકર્ષણનું કેન્દ્ર છે. કહેવાય છે કે આ મંદિરના નિર્માણ માટે નવ લાખ રૂપિયાનું ખર્ચ કરાયો હતો, જેનાથી તેને “નવલખો મંદિર” નામ મળ્યું.

Navlakho temple ghumali

આ મંદિરનો પાયો ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો છે – તેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 45.72 મીટર x 30.48 મીટર છે. પૂર્વ દિશામાં એક સુંદર પ્રવેશ કમાન હતું, જેને કીર્તિ તોરણ કહેવામાં આવતું, પણ આજે તે નષ્ટ થઈ ગયું છે.

મંદિરના ભાગોમાં આવૃત પ્રદક્ષિણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને ત્રણ શૃંગાર ચોકીઓનો સમાવેશ થાય છે. ત્રણે બાજુ ચાલવાના માર્ગ પર ઝરૂખાઓ આવેલા છે. મંડપને આધાર આપતાં સ્તંભ આઠબાજુના છે અને દરેક ખૂણે દ્રશ્યમય શિલ્પકામ જોવા મળે છે. મંદિરનું પ્રવેશદ્વાર બે માળનું છે, જે દુર્લભ સ્થાપત્યનું ઉદાહરણ છે.

Navlakho temple ghumali

મંદિરની પાછળ, હાથીઓ વચ્ચે યુદ્ધ દર્શાવતાં વિશાળ શિલ્પો છે. ભદ્રગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમ બાજુએ શિવ-પાર્વતી અને ઉત્તર બાજુએ લક્ષ્મી-નારાયણની મૂર્તિઓ સ્થાપિત છે.

ઘુમલીનું નવલખો મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરની સરખામણીમાં ઉતરે છે. આ મંદિર “મારુ ગુર્જર” અથવા “સોલંકી શૈલી”માં બાંધવામાં આવ્યું છે. મંદિરના હાથીઓના ઘૂસેલા દાંતોના શિલ્પો આ શૈલીની વિશેષતા દર્શાવે છે.

મુખ્ય મંદિરની બહાર આવેલું ઘૂમલી ગણેશ મંદિર, દસમી સદીમાં નિર્મિત ગણાય છે અને તે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

દુઃખદ ઘટના એ છે કે ઈ.સ. 1313માં જામ બામણીયાજીએ તેમના પિતા જામ ઉણાજીની હારનો બદલો લેવા માટે ઘુમલી પર આક્રમણ કર્યું હતું, જેના કારણે આ મંદિરનો નાશ થયો.

Navlakho temple ghumali
Navlakho temple ghumali

આવા ઐતિહાસિક વારસાને જાળવવી આપણી જવાબદારી છે. અફસોસની વાત છે કે આપણે ઘણા સૂર્ય મંદિરો ગુમાવી ચૂક્યા છીએ. ઘુમલીનું નવલખો સૂર્ય મંદિર(Navlakho temple ghumali), જે ગુજરાતના સૌથી પ્રાચીન અને ભવ્ય મંદિરોમાંથી એક છે, તેની રક્ષા માટે આપણને સતત જાગૃત રહેવું જરૂરી છે.

Navlakho temple ghumali

આવી જ ઐતિહાસીક પોસ્ટ વાંચવા માટે GujaratniVato.com ની મુલાકાત લેતા રહો. અસ્તુ. જય હિન્દ 

ગુજરાતનું એવું અદભુત સ્થળ જે અઘુરું હોવા છતા તેને IIM અમદાવાદના લોગોમાં સ્થાન આપવામાં આવ્યું છેે.

હેરીટેજ સીટી અમદાવાદ વિષે આપણે સૌ જાણીએ છીએ કે અહીં એક થી એક ચઢીયાતા મોન્યુમેન્ટસ આવેલા છે. આજે વાત કરવાની છે એવા જ એક મોન્યુમેન્ટ વિષે કે જેને વૈૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે અને જેને જોવા દુનિયાના અનેક દેશોના લોકો ગુજરાતમાં આવે છે. તે છે સીદી સૈયદની મસ્જીદના મહેરાબમાં આવેલ જાળીઓની…

 

સીદી સૈયદની જાળી

 

સીદીસૈયદની જાળી (siddi sayed mosque) એ અમદાવાદની એક પ્રાચીન ઓળખ છે. સીદીસૈયદની જાળી તેની શાનદાર શૈલી અને ઝીણવટ ભરી કોતરણી માટે પ્રખ્યાત છે.

સીદીસૈયદની જાળીની બનાવટમાં yellow sand stone નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે એક જ પથ્થર ઉપર નકશી કામ કરીને આ જાળીને બનાવવામાં આવી છે.

આ જાળીઓમાં ખજૂરના વૃક્ષની ડાળીઓનું નકશીકામ કરીને બનાવવામાં આવી છે. આ જાળીમાં પીપળાના વૃક્ષની ડાળીઓ પણ બનાવવામાં આવી છે અને પાંદડાઓની કલાત્મક કૃતિઓ બનાવવામાં આવી છે. 

 

siddi Sayed mosque

અંગ્રેજોના કાળમાં લોર્ડ કરજે ને આ જાડીઓની જાળવણી કરાવી હતી. બ્રિટિશ કાળ દરમિયાન આ મસ્જિદનો ઉપયોગ સરકારી કામો માટેની કચેરીના સ્વરૂપે થતો હતો. 

ઈસવીસન 1880 માં લંડન અને ન્યુયોર્ક ના મ્યુઝીયમ માં મુકવા માટે સીદી સૈયદની જાળીની નકલ કાગળ ઉપર ઉતારી તેમાંથી લાકડાના બે મોડલ બનાવવામાં આવ્યા હતા.

Siddi-Sayed-Mosque

 

રશિયાના ઝાર જ્યારે ભારતમાં આવ્યા હતા ત્યારે તેઓએ સીદીસૈયદની જાળીની મુલાકાત લીધી હતી. 

 

લંડનના મહારાણી એલિઝાબેથ પણ આ જાળીઓને જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા.

 

અહીં મસ્જિદના મહેરાબમાં કુલ ચાર જાળીઓ છે. તેમાંથી ત્રણ જાળીઓની કોતરણી જોઈ શકાય છે તથા એક જાળીમાં પથ્થરો ગોઠવવામાં આવ્યા છે એવું પણ કહેવાય છે કે ભારત આઝાદ થયું ત્યારે ચોથી જાડી અંગ્રેજો પોતાની સાથે લઈ ગયા હતા પરંતુ તેનો કોઈ પુરાવો મળતો નથી.

Siddi Sayed mosque

 

મસ્જિદ ની બાજુમાં એક બગીચો છે ત્યાં જઈને તમે આ જાડીઓની સુંદરતાને ખૂબ જ નજીકથી નિહાળી શકો છો

 

તેની ભવ્ય વિરાસત અને શાનદાર શૈલીને વિશ્વપ્રસિદ્ધ બનાવવા માટે આઈ.આઈ.એમ અમદાવાદના લોગો ઉપર પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે.

Siddi sayed mosque

 

સીદી સૈયદની મસ્જિદ નો ઇતિહાસ 

 

સીદીસૈયદની મસ્જિદ નું નિર્માણ ઈસવીસન 1572 ના દાયકા દરમિયાન સીદી સૈયદ નામના વ્યક્તિએ કર્યું હતું તે હબ્શા (ઇથોપિયા) થી યમન થઈને ગુજરાત આવ્યા હતા અને પાછળથી સુલતાન નાસીર ઉદ્દીન મહમૂદ શાહ ત્રીજા ને સેવા આપી હતી. 

 

siddi sayed mosque

 

તે ગરીબોની મદદ કરનાર ‘દરિયાદિલ’ માણસ તરીકે જાણીતા હતા અને તેમની પાસે પુસ્તકો નો મોટો સંગ્રહ હતો. તેમણે ગુજરાતના અંતિમ શાસક સુલતાન મુજફ્ફર શાહ ત્રીજો ના શાસનકાળ દરમિયાન ભવ્ય સ્મારકનું નિર્માણ કર્યું હતું. આ મસ્જિદ પથ્થરમાંથી બારીક રીતે કોતરાયેલી તેની જાળીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જેમાં એકબીજામાં વિંટાયેલા વૃક્ષો અને પાંદડાઓની કલાત્મક આકૃતિઓ છે.

 

અત્યારે ‘જીવનરૂપી વૃક્ષ’ (Tree of life) ને વ્યક્ત કરતી મસ્જિદની જાળીઓ અમદાવાદ શહેરની વિશિષ્ટ ઓળખાણ બની ગઈ છે સીધી સૈયદની મસ્જિદના પ્રાંગણમાં જ તેને બનાવનાર સીદીસૈયદની કબર છે.

Siddi sayed mosque

સીદી સૈયદની જાળીને લઈને એક રસપ્રદ અનુમાન છે કે આ આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી હશે. જોકે અનેક વિશેષજ્ઞોની માન્યતા અનુસાર, તેને જુદા જુદા પથ્થરના ટુકડાઓ પર કોતરવામાં આવી હતી અને પછી એ ટુકડાઓને અત્યંત કુશળતાથી સાંધવામાં આવ્યા. તે સમયે સીદી સૈયદે કયા પ્રકારના કારીગરો પાસે આ અદ્વિતીય કળાકૃતિ બનાવડાવી અને ટુકડાઓને જોડવા માટે શેનો ઉપયોગ થયો તે વિષય હજુ પણ સંશોધન માટે ઊંડાણથી જોઈ શકાય તેમ છે.

આ જાળી માત્ર પથ્થર પર કોતરાયેલ લાગે છે, પણ તેને જોઈને એવો ભાસ થાય છે કે  કોઈ નરમ કપડાં પર બનાવી હોય. તેનામાં ચિત્રકામ, નકશીકામ, સુથાર અને કડિયાકામ—all in one—જેમ ઉમેરાયેલા હોય એવો બેનમૂન સમન્વય છે.

આજથી લગભગ 450 વર્ષ પહેલા બનેલી આ જાળી આજે પણ તેના મૂળ સ્વરૂપમાં અડગ છે. તેની પહોળાઈ આશરે 10 ફૂટ અને ઊંચાઈ 7 ફૂટ છે—અત્યંત ભવ્ય અને ઉત્કૃષ્ટ કળાનમૂનો જે આખા વિશ્વમાં ગુજરાતની ઓળખ બની ચુક્યો છે.

સીદી સઈદે પોતાની જાગીરનાં ગામોથી મળતી આવકમાંથી એક અનોખી અને બેનમૂન મસ્જિદ બનાવવા ધીરજપૂર્વક કામ શરૂ કરાવ્યું હતું. મસ્જિદના નિર્માણ પાછળ એની માત્ર ધૂન હતી—કોઈ શોખ કે દેખાડો નહોતો. પરંતુ કાળક્રમે ઘટના એવી બની કે જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે વિવાદ સર્જાતાં સીદી સૈૈયદ પાસેથી તે ગામોની મિલકત પાછી લઈ લેવાઈ. એ દરમિયાન મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીત્યું અને સીદી સઈદની આવક પણ બંધ થઈ ગઈ. આવકના સ્ત્રોત ખતમ થતાં, તે પોતાની દિલથી બનાવતી મસ્જિદનું કામ પૂરું કરાવી શક્યો નહીં, અને મસ્જિદ અધૂરી રહી ગઈ.

આવા જ ઐતિહાસીક અને વારસાના સ્થળો વિષે વાંચવા માટે https://gujaratnivato.com/ ની મુલાકાત લેતા રહો. ગુજરાતની ઓળખ, આપણી ઓળખ.

અદ્ભુત સોમનાથ મંદિરનો ઇતિહાસ: શ્રદ્ધા અને શક્તિનું પ્રાચીન પ્રતીક”

સોમનાથ મંદિરનો ઇતિહાસ

સોમનાથ મંદિરનો ઈતિહાસ ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ ગણાતા આ મંદિરની વારસાગાથા છે, જે માત્ર પથ્થરનું બંધાણ નથી, પણ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સહનશક્તિનું જીવંત પ્રતીક છે. ગુજરાતના પ્રભાસ પાટણ (વેરાવળ) ખાતે સ્થિત આ મંદિર ત્યાં વસેલું છે જ્યાં હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીઓનું સંગમ થાય છે – અને એ સ્થાન તીર્થોમાં તીર્થ માનવામાં આવે છે.

🌟 ઉત્પત્તિ અને પ્રથમ સ્થાપના: 🌙 ચંદ્રદેવ, શ્રાપ અને સોમનાથ

સોમનાથ મંદિર માત્ર ઈતિહાસનું નહિ પણ અદ્ભુત દંતકથાઓનું મંદિર પણ છે. એવી એક લોકપ્રિય અને ભાવુક કથા છે ચંદ્રદેવના શ્રાપ અને ભગવાન શિવના આશીર્વાદની, જે આજે પણ ભક્તોના મનમાં જીવંત છે.

🧿 ચંદ્રદેવ અને તેની ૨૭ પત્નીઓ

દંતકથાનુસાર, ચંદ્રદેવ, દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ સાથે લગ્નસૂત્રે બંધાયા હતા. આજના સમયમાં આપણે તેમને ૨૭ નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ. જોકે, ચંદ્રદેવના હૃદયમાં ખાસ સ્થાન હતું માત્ર રોહિણી માટે, જેને તેઓ અન્ય પત્નીઓ કરતા વધુ પ્રેમ કરતા.

આ પ્રેમમાં અસંતુલન હોવાથી બાકીની ૨૬ બહેનો દુઃખી રહેવા લાગી અને છેલ્લે તેમનો પિતા દક્ષ આ અન્યાયથી આક્રોશિત થયા. દક્ષે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે:

> “તારું ક્ષય થશે – તું ક્ષીણ થતો જઈશ!”

🕉️ શ્રાપમાંથી મુક્તિ માટે શિવની આરાધના

શ્રાપના પ્રભાવથી ચંદ્રનું તેજ ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યું. જ્યારે આશા ન હતી, ત્યારે તેઓ પ્રભાસ પાટણના આ પવિત્ર તીર્થમાં આવ્યા – જ્યાં આજનું સોમનાથ મંદિર આવેલુ છે.

ત્યાં ચંદ્રદેવે ભગવાન શિવની અખંડ ઉપાસના કરી, અને શિવનું ‘મહામૃત્યુંજય મંત્ર’ દ્વારા ઘોર તપસ્યા કરી,અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને ચંદ્રદેવને શ્રાપમાંથી આંશિક મુક્તિ આપી.

🌗 ચંદ્રના વધતા-ઘટતા રૂપ પાછળનું આધ્યાત્મિક કારણ

આ કથાને આધારે માનવામાં આવે છે કે ચંદ્ર હવે 15 દિવસ વધે છે (શુકલ પક્ષ) અને 15 દિવસ ઘટે છે (કૃષ્ણ પક્ષ), જે આજે પણ નક્ષત્ર ગણનાના આધારે ચંદ્રમાસના ચક્ર તરીકે ઓળખાય છે.

આધુનિક વિજ્ઞાન આને ચાંદનીનાં ચક્રરૂપ આકારોથી સમજાવે છે, પણ આધ્યાત્મિકતા અને શ્રદ્ધા માટે, એ ચંદ્ર અને શિવજીના સંબંધની એક અદ્વિતીય કથા છે.

🛕 સોમનાથ – ચંદ્રે સ્થાપેલું પહેલું શિવલિંગ?

આ કથા મુજબ, ચંદ્રદેવે ભગવાન શિવના અનુગ્રહથી પોતાનું તેજ પુનઃ પ્રાપ્ત કર્યા બાદ, કૃતજ્ઞતાસ્વરૂપે અહીં સોમનાથના પ્રથમ સ્વરૂપની સ્થાપના કરી હતી. માન્યતાઓ અનુસાર, ચંદ્રદેવે સોનાથી બનેલું શિવમંદિર બાંધ્યું હતું. આથી તેનું નામ “સોમનાથ” પડ્યું – એટલે કે સોમનો નાથ, ચંદ્રનો શાસક. આ ઉલ્લેખ ઋગ્વેદ માં પણ જોવા મળે છે.

આ પછી:

રાવણએ ચાંદીથી મંદિર બનાવ્યું

અને ભગવાન શ્રીકૃષ્ણે ચંદનના લાકડાથી મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું પણ કહેવાય છે

📍 બાણ સ્તંભ – ભૌગોલિક ચમત્કાર અને આધ્યાત્મિક સંકેત

સોમનાથ મંદિરની ભવ્યતા માત્ર તેની ધાર્મિક મહત્તા સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તેનું ભૌગોલિક સ્થાન અને વિજ્ઞાનસંગત દૃષ્ટિ પણ વિશ્વને આશ્ચર્યચકિત કરે છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાંથી દક્ષિણ દિશામાં એક પ્રાચીન શિલાસ્તંભ ઊભો છે – જેને “બાણ સ્તંભ” કહેવામાં આવે છે.

આ પથ્થર પર ખોદાયેલા પ્રાચીન શિલાલેખ અનુસાર, આ બાણ સ્તંભ જે દિશામાં સૂચવે છે ત્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી બીજું કોઈ ભૂખંડ, ટાપુ કે પ્રદેશ આવેલો નથી. એટલે આ દિશા છે “અવિરત, અપ્રતિબંધિત ખાલી જગ્યા” – જે દરિયાં અને અંતરિક્ષના અપાર વિસ્તાર તરફ દોરી જાય છે.

> શિલાલેખમાં લખાયું છે:

“શ્રી સોમનાથ મહાદેવના ધ્વજથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી અવિરત ખાલી જગ્યા છે.”

આ બાણ સ્તંભ શિવજીના દિશાસૂચક તેજને દર્શાવે છે – જેમ કે, શિવનો જ્યોતિર્મય પ્રકાશ જે અવરોધ વિના સમગ્ર બ્રહ્માંડમાં પ્રસરે છે. આધ્યાત્મિકતા સાથે ભૌગોલિક સચોટતા ધરાવતો આ સ્તંભ ભારતના વૈજ્ઞાનિક વારસાની જીવતી સાક્ષી છે.

સોમનાથ મંદિરનો ઈતિહાસ

🛕 સૌંદર્ય અને સમૃદ્ધિનું શિખર

પ્રાચીન સમયમાં સોમનાથ મંદિર માત્ર ધાર્મિક નથી રહ્યું, પરંતુ તેનો શણગાર અને સંપત્તિ એ અન્યો માટે ઈર્ષ્યાનું કારણ બની. કહેવામાં આવે છે કે મંદિરના સંચાલન માટે 10,000 ગામડાંઓ દાનમાં અપાયાં હતાં.

આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા.

મંદિરમાં સોનાની ઘંટડીઓ ઝૂલતી

સાગના 56 વિરાટ સ્તંભો ઉપર ગર્ભગૃહ નિર્માણ થયેલું હતું અને પ્રત્યેક સ્તંભ ઉપર ભારતીય રાજાઓના નામ કોતરવામાં આવ્યા હતા અને તેમાં ભરપૂર સોના-ચાંદી અને હીરા જડવામાં આવ્યા હતા.

અહીં રત્નોથી ભરેલા ભંડાર હતા  અને ભક્તિભાવથી ભરેલા નૃત્યગીતો દ્વારા અનેક નટ-નટીઓ ભગવાન શિવ ને નૃત્ય કરી ને રીઝવતા હતા.

⚔️ આક્રમણોનું કાળચક્ર અને પુનર્જન્મની શક્તિ

ઇ.સ. 649 – વલ્લભી વંશના રાજા મૈત્રકેએ મંદિરનું પ્રથમ પુનર્નિર્માણ કર્યું.

ઇ.સ. 1025 – મહંમદ ગઝનવીએ મંદિર પર આક્રમણ કર્યું. 8 દિવસ ચાલેલા યુદ્ધ બાદ 50,000 હિન્દુ યોદ્ધાઓ શહીદ થયા. ગઝનવીએ આશરે 20 લાખ દિનાર લૂંટ્યા અને શિવલિંગ તોડી તેને ગઝની લઇ ગયો.

લૂંટ બાદ સોલંકી રાજા ભીમદેવ પ્રથમ દ્વારા મંદિર નું પુન:નિર્માણ કરવામાં આવ્યું.

ઇ.સ. 1299 – અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મંદિર તોડી નાંખ્યું.

ઇ.સ. 1308 – ચુડાસમા રાજા મહિપાલદેવ પ્રથમએ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું.

ઇ.સ. 1395 – ઝફરખાને ફરીથી ધ્વંસ કર્યું.

ઇ.સ.1414 –  અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સને 1451માં રા’માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી.

ઇ.સ. 1459 – 1511 – મહમદ બેગડાના શાસન દરમિયાન મંદિરને મસ્જિદમાં ફેરવી દેવાયું.

ઇ.સ. 1665 અને પછી 1706 – ઔરંગઝેબના આદેશથી મંદિર ફરી તોડી મસ્જિદ બનાવવામાં આવી. મૂર્તિઓ તોડી પડાઈ અને સ્થાનિક હિન્દુઓ પર બૌદ્ધિક અને ધાર્મિક દમન શરૂ થયું.

અંતે આઝાદી પહેલાના સોમનાથ મંદિર નો જીર્ણોધાર ઇ.સ.1787માં અહલ્યાબાઈ હોલકરે કરાવ્યો.

સોમનાથ મંદિરનો ઈતિહાસ
સોમનાથનું પ્રાચીન મંદિર
સોમનાથ મંદિરનો ઈતિહાસ
ઔરંગઝેબ દ્વારા મંદિર ઉપર ગુંબજ બનાવી મસ્જીદ બનાવવામાં આવી હતી તે સમયની તસવીર

–-

આઝાદી અને પુનઃ સ્થાપન: નવા યુગનો પ્રારંભ

ભારત સ્વતંત્ર થયું ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલે “સોમનાથ ફરી ઊભું થવું જ જોઈએ” એવું ઘોષિત કર્યું. કનૈયાલાલ માણેકલાલ મુનશીના સંગઠન પ્રયત્નોથી **”સોમનાથ ટ્રસ્ટ”**ની રચના થઈ.

મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ, મંદિરના પુનઃનિર્માણ માટે જનદાનથી નાણાં ભેગાં કરવામાં આવ્યાં.

11 મે, 1951 – ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે નવસર્જિત સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગ એ માત્ર મંદિર નહીં, પણ ભારતના આત્મવિશ્વાસના પુનર્જાગરણનું પ્રતીક બની રહ્યો.

સોમનાથ મંદિરનો ઈતિહાસ
નવા સોમનાથ મંદીરનું ઉદ્ઘાટન અને પૂજા કરતા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ
સોમનાથ મંદિરનો ઈતિહાસ
આઝાદી બાદનું નવનિર્મિત સોમનાથ મંદીર.

🔁 શ્રદ્ધા અનંત છે: ફરી તૂટ્યું, ફરી ઊભું થયું

સોમનાથ એ એક એવું મંદિર છે, જેને અનેકવાર તોડવામાં આવ્યું, પણ દરેક વખતના વજ્રાઘાત પછી તે વધુ ભવ્ય અને મજબૂત રીતે ઊભું થયું. કારણ કે ભગવાન શિવના પરમ ભક્તો માટે આ મંદિર માત્ર પથ્થર નહીં, પણ શ્રદ્ધા- આસ્થાનું કેન્દ્ર છે.

📢 સોમનાથ: તમારા શ્રદ્ધા યાત્રાનું કેન્દ્ર

મિત્રો, સોમનાથ મંદિરનો ઇતિહાસ માત્ર ભૂતકાળની કથા નથી – તે આજના ભારતની સહનશક્તિ, સંસ્કૃતિ અને એકતાનું દ્રષ્ટાંત છે.

જો તમે આ રીતે ગુજરાતની પૌરાણિક અને ઐતિહાસિક વારસાને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હોવ, તો જોડાયેલા રહો

👉 [gujaratnivato.com] સાથે.

અસ્તુ. જય સોમનાથ!

 

જે વાનગીઓથી ગુજરાત વિશ્વભરમાં જાણીતુ બન્યુ છે શું તમે તેની શ્રેષ્ઠતમ જગ્યાઓ વિશે જાણો છો? જો ના તો ચાલો તે વાનગીઓ વિશે અને તેની શ્રેષ્ઠતમ જગ્યાઓ જાણીએ…આપણી સંસ્કૃૃૃૃતિને સમજીએ.

ગુજરાત તેની અવનવી વાનગીઓથી વિશ્વભરમાં જાણીતું બન્યુ છે. ત્યારે આજે આપણે ગુજરાતની એવી વાનગીઓ વિશે વાત કરવાની છે. જે ગુજરાતની ઘરોહર સમી વિખ્યાતી ઘરાવે છે અને લોકો તેને ખૂબ જ પ્રેમથી આરોગે છેે. ગુજરાતની શ્રેષ્ઠતમ વાનગીઓ ગુજરાતની શ્રેષ્ઠતમ જગ્યાએ થી ખાવાની મજા કંઇક ઓર હોય છે.તો ચાલો જાણીએ આવી વાનગીઓ વિશે અને તેની શ્રેષ્ઠતમ જગ્યા વિશે….

૧. ખમણ 

ગુજરાતી નાસ્તામાં એવું કંઈક છે જે દિવસને મીઠી શરૂઆત આપે અને એમાં સૌથી ખાસ છે ચણાના લોટની સ્વાદિષ્ટ સુંદર વાનગી અને એ છે ખમણ મોઢામાં મુક્તાવેંત જ ઓગળી જાય એવું આ ખમણ એ ખાલી નાસ્તો નથી પણ દરરોજની સુગંધ છે જે આખો દિવસ આપણને આનંદ આપે છે. આ ખમણ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે એવી વાનગી છે.

ખમણના લોકપ્રિય પ્રકારો

ગુજરાતમાં ખમણ ઘણા પ્રકારમાં મળે છે અને દરેક સ્વાદનું એક વિશિષ્ટ મહત્વ છે.

  • નાયલોન ખમણ – અત્યંત નરમ હળવું અને સહેજ લીમડાના વઘાર સાથે આ ખમણ બનાવવામાં આવે છે 
  • વાટી દાળ ખમણ- ચણાની દાળ પલાળીને બનતું અને શહેર નાયલોન ખમણ કરતા સહેજ વધારે કડક અને સ્વાદિષ્ટ 
  • અમીરી ખમણ – ખમણ ના ટુકડા ચટપટા મસાલા સાથે આ ખમણ બનાવવામાં આવે છે 
  • સેવ ખમણી – ખમણના ભૂકા ઉપર લીલી ચટણી દહીં અને સેવ ભભરાવીને આ સેવ ખમણી બનાવવામાં આવે છે. સેવ ખમણીની પણ ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા છે 

ગુજરાતની ખમણ ની દુકાનો કે જેનો સ્વાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને જેના ખમણ ખાવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે 

દાસ ખમણ હાઉસ અમદાવાદ.

અહીં વિવિઘ પ્રકારના અને વિવિઘ ફ્લેવર ઘરાવતા ખમણ તમને પીરસવામાં આવે છે. દાસ ખમણના ઘણા બઘા આઉટલેટ અમદાવાદમાં આવેલા છે અને તેની ખાસીયત એ છે કે દરેક જગ્યાએ તમને સમાન સ્વાદ આવે છે. તમે નજીકના કોઇ પણ આઉટલેટ ઉપર જઈને ખમણનો ટેસડો પાડી શકો છો.

૨. સુરતી લોચો 

પ્રોટીનથી ભરપૂર નહિવત તેલ અને ટેસ્ટી ટોપીંગથી ભરપૂર સ્વાદિષ્ટ અને જીભને ચસ્કો લગાડે એવી વાનગી એટલે સુરતી લોચો. 

ચણા અને અડદની દાળમાંથી બનતી આ વાનગી બપોરના કે સવારના નાસ્તામાં અને હલકું પણ સ્વાસ્થ્યપ્રદ રાત્રી ભોજનમાં પણ લઈ શકાય તેવી છે. 

લોચો બનવાનો ઇતિહાસ અને તેના નામ પાછળનું રહસ્ય

એક વખત એક રસોઈયો ખમણ બનાવતો હતો તે વખતે ખમણને પોચા બનાવવા માટે ભૂલથી વધારે પાણી રેડાઈ ગયુ જેનાથી આ વાનગી અસ્તિત્વમાં આવી હતી. 

તેણે જોયું કે પાણી વધુ પડી ગયું ત્યારે તેનાથી બોલાઈ ગયું “અરે આ તો લોચો થઈ ગયો” ત્યારથી તેનું નામ લોચો પડી ગયુ.

લોચાના ઘણા બધા પ્રકાર જોવા મળે છે 

જેમકે બટર લોચો, ચાટ લોચો, સેઝવાન લોચો, ચીઝ લોચો, પીઝા લોચો, લસણીયા લોચો ચાઈનીઝ લોચો વગેરે.

લોચા ની પ્રખ્યાત દુકાનો

  • ગોપાલ લોચો 

લોચા ની આ ફેમસ દુકાન સ્ટેશન રોડ, સીટી લાઈટ, અડાજણ ખાતે આવેલી છે. અહીંના વિવિધ ફ્લેવર્સ વાળા લોચો લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. 

  • જાની લોચો

પારલે પોઇન્ટ,સીટી લાઈટ ખાતે જ આ જાની લોચો દુકાન આવેલી છે. અહીં પણ લોકો અલગ અલગ લોચાનો આસ્વાદ માણીને આહલાદક અનુભવ કરે છે

૩. સેવ ઉસળ 

ઉસળ એ ફણગાવેલા કઠોળ થી બનાવેલી વાનગી છે ગુજરાતી અને મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તમને ઘણી સમાનતાઓ જોવા મળશે કારણ કે તે એકબીજામાંથી પ્રેરણા લે છે મહારાષ્ટ્રમાં ઉસળ ફણગાવેલા કઠોળ અને અન્ય વસ્તુઓથી બનાવવામાં આવે છે સેવ ઉસળની આ રેસીપી મહારાષ્ટ્રીયન વાનગી  મિશળ પાવ અને ઉસળપાવનું રૂપાંતર છે.

ચટપટી અને રશાળ મસાલેદાર આ વાનગી બરોડામાં ખૂબ જ ફેમસ છે ચાલો જોઈએ ત્યાંની એક દુકાન કે જ્યાં સેવ ઉસળ ખાવા માટે લોકો લાઈન લગાવે છે. 

  • મહાકાળી સેવ ઉસળ 

નેહરુ ભવન, પ્રાથમિક પ્લાઝા, પેલેસ રોડ, કીર્તિ સ્તંભ ની પાછળ વડોદરા ખાતે આ મહાકાળી સેવ ઉસળ આવેલું છે. સવારના 8:30 થી રાત્રિના નવ વાગ્યા સુધી તેઓ સેવ ઉસળ વહેંચે છે.

૪. જલેબી- ગુજરાતની મીઠી ઓળખ

ગુજરાતના નાસ્તામાં જલેબી એ એવી વાનગી છે જે માત્ર મીઠાઈ નથી પણ લાગણી છે, ભાવના છે. રવિવારની સવારે જ્યારે ગુજરાતી ઘરોમાં ક્રિસ્પી જલેબી જ્યારે ઘીમાં તળવામાં આવે છે ત્યારે તેની સુગંધમાં ભૂખ અને યાદો બંને તરો તાઝા થાય છે અને ગરમાગરમ જલેબીની સાથે ફાફડા અને તરબોળ ચાસણી જ્યારે પલાળાય છે ત્યારે એક અનોખો અનુભવ કરાવડાવે છે. જલેબી એ માત્ર મીઠાઈ નથી પણ પ્રસંગ તહેવાર કે નવરાત્રિની રાત્રે એની સાથે જોડાયેલી ક્ષણો પણ છે. ઠંડીની ઋતુમાં તો ગરમ જલેબી સાથે દૂધ કે ઊંધિયું પણ ખાસ પસંદગી પામે છે હવે તો ફ્યુઝન જલેબી પણ માર્કેટમાં આવી છે જેમ કે ચોકલેટ જલેબી રબડી જલેબી જેવા નવતર વિકલ્પો પણ લોકો પસંદ કરી રહ્યા છે. તમારે પણ જો જલેબી થી મોઢું મીઠું કરવું હોય અને શ્રેષ્ઠ જલેબીનો સ્વાદ લેવો હોય તો લોકપ્રિય જલેબી ની દુકાન ની મુલાકાત જરૂર લો કારણ કે ગુજરાત જલેબી વગર અધૂરું છે.

ગુજરાતની પ્રસિદ્ધ જલેબી શોપ્સ 

  • ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ જામનગર 

વિશેષતા: સો વર્ષથી પણ વધુ જૂની હોટલ છે અને અહીંની જલેબી વિશ્વપ્રસિદ્ધ છે. 

  • લખનઉ જલેબી શોપ 

અમદાવાદના રાયપુરમાં આવેલી લખનઉ જલેબી શોપ અડદની દાળની જલેબી માટે ખૂબ જ ફેમસ છે.અમદાવાદના ફૂડ લવર્સની આ ફેવરિટ જગ્યા છે.

૫.ઢોકળા – નાસ્તામાં નરમાઈ અને સ્વાદનો પરિચય

ઢોકળા એ ગુજરાતનો એવી જાતનો નાસ્તો છે જે નરમાઈ અને રુચિનો સહેલું સંમેલન છે. ચણાની દાળ અથવા રવાને ખાટા પદાર્થો સાથે ભેળવીને વરાળમાં પકવવામાં આવે છે. ત્યારબાદ તેના પર વઘાર નાખીને લીલી મરચી અને ચટણી સાથે પીરસવામાં આવે છે – જે સ્વાદની એક એવી હારમોની છે કે જે દરેક ગુજરાતી માટે ખાસ છે.

અમદાવાદના મણિનગરમાં આવેલી કેટલીક લાઈવ ઢોકળાની દુકાનો, જેમ કે “ન્યૂ રજવાડી લાઈવ ઢોકળા”, અહીં ઢોકળા તાજા બનાવાય છે અને ત્યાંજ ગરમ પીરસાય છે. સવારે 7 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા જોવા મળે – એટલો લોકપ્રિય છે આ નાસ્તો

ઢોકળાના અનેક પ્રકાર છે: ખમણ ઢોકળા, રવા ઢોકળા, તીખા ઢોકળા કે નાસ્તાના ઢોકળા – દરેકમાં અલગ રીતે રસ અને રોમાંચ છુપાયેલો હોય છે. ઘરમાં બનાવો કે બહારથી લાવો – ઢોકળા ક્યારેય ભૂલાતા નથી.

જો તમારે ગુજરાતી નાસ્તાનો અસલ સ્વાદ માણવો હોય, તો એકવાર તાજા ઢોકળા જરૂર અજમાવો – મન ભરી જાય એવો અનુભવ મળશે.

આવી જ મજેદાર પોસ્ટ જોવા માટે જોડાયેલા રહો gujaratnivato.com સાથે. ઘન્યવાદ. અસ્તુ

જૂનાગઢ ના ઉપરકોટ ના કિલ્લા વિશે એ બધી જ બાબતો જે તમે જાણવા માગો છો.

જુનાગઢ એટલે સંત,સુરા અને દાતારની ભૂમિ. અહીં જોવા લાયક તો ઘણા બધા સ્થળો આવેલા છે તેમાના મુખ્ય સ્થળોની વાત કરીએ તો ભવનાથની તળેટી, ગિરનાર પર્વત, અશોકનો શિલાલેખ, સાસણગીર જંગલ સફારી, દામોદર કુંડ, નેમીનાથ જૈન દેરાસર અને ઘણું બધું આવેલું છે પણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા કિલ્લાની કે જે ઇતિહાસમાં હંમેશા અભેદ્ય રહ્યો છે અને ભારતના સૌથી મજબૂત કિલ્લાઓમાંનો એક છે તેનું નામ છે ઉપરકોટ નો કિલ્લો. તો ચાલો જાણીએ તેના રહસ્યો અને ઇતિહાસની વાતો.

ઇતિહાસની પાંખો નીચે છુપાયેલો રહસ્યમય કિલ્લો.

 આમ તો ઉપરકોટ નો ઇતિહાસ સાડા પાંચ હજાર વર્ષ કરતા પણ જુનો ઈતિહાસ છે સૌપ્રથમ અહીં રાહત નામનો એક પહાડ આવેલો હતો તેને તોડીને રાહત નગરી વસાવામાં આવેલી હતી એવું કહેવાય છે કે ત્રેતા યુગથી આ પહાડી આવેલો છે અને રાજા ઉગ્રસેન કે જેઓ કંસના પિતા હતા અને શ્રીકૃષ્ણ ભગવાનના નાના હતા તેમણે આ નગરી વસાવી હતી, આગળ જતા કાળક્રમે રાજાઓ બદલાતા ગયા અને ઉપરકોટ નિર્માણ પામ્યો પ્રવર્તમાન કિલ્લો જે છે એ ઇસવીસન પૂર્વે 319 માં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું મનાય છે અને આ કિલ્લા ની વિશેષતા એ છે કે આ કિલ્લાને આશરે ૧૬ વખત ઘેરવામાં આવ્યો છે અને દરેક વખતે તે અભેદ્ય રહ્યો છે એટલો સુરક્ષિત આ કિલ્લો છે.

આ કિલ્લા માટે એવું કહેવાય છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે રાણકદેવીને હાંસલ કરવા માટે અહીં 12 વર્ષ સુધી ઘેરો કર્યો હતો અને છતાં પણ તે અભેદ્ય રહ્યો હતો. છેવટે તેણે અનાજ લેવા કિલ્લાની બહાર આવેલા બે વ્યક્તિને લાલચ આપીને કિલ્લામાં પ્રવેશ કર્યો હોવાનું માનવામાં આવે છે. ચાલો આ કિલ્લાના અદભુત સ્થાપત્ય અને અંદરની રચનાઓની જાણકારી મેળવીએ

સ્થાપત્ય અને અંદરની રચનાઓ

આ કિલ્લાનો સ્થાપત્ય અદભુત રીતે બનાવવામાં આવ્યું છે તેની સંરચના બહુ બારીકાઈથી અને સ્ટ્રેટેજીકલી બનાવવામાં આવી છે તેની દીવાલો ઊંચી અને મજબૂત બનાવવામાં આવી છે અંદરના સ્થાપત્યમાં વાત કરીએ તો 

૧.માણેક તોપ અને નીલમ તોપ 

આ બંને તો૫ો પંચધાતુની બનેલી તોપો છે અને કાળઝાળ ગરમીમાં પણ એને તમે અડો તો પણ ગરમ ના લાગે એવી ધાતુની બનાવટ છે.આ બંને તોપો ઈરાનથી આવેલી છે. તેમાંથી માણેક તોપ ની રેન્જ 200 મીટરની છે અને નીલમ તોપ ની રેન્જ 500 મીટર ની છે. આ બંને તોપો મોહમ્મદ બેગડા દ્વારા દીવ થી અહીંયા લાવેલી છે એવું માનવામાં આવે છે કે મોહમ્મદ બેગડા દ્વારા 24 કલાકમાં બે ગઢ જીતવામાં આવ્યા હોવાથી તેને દીવના રાજાએ ઈરાનથી જે તોપો આવેલી છે તે ભેટમાં આપેલી હતી. અહીં માણેક તો૫ અને નીલમ તો૫ સિવાય ઈસ.1530 માં સુલતાન શાહ દ્વારા લાવેલી બિન સિરાજ તોપ પણ આવેલી છે.

૨. રાણકદેવી મહેલ 

અહીં ઘણા બધા કક્ષ વાળો અને અદભુત કોતરણી ધરાવતો રાણકદેવી મહેલ પણ આવેલો છે જેની તસવીર તમે જોઈ શકો છો.

૩. અનાજ ભંડાર 

અહીં અનાજ ભરવા માટે 13 ભાગમાં મોટા મોટા કોઠારો બનાવવામાં આવ્યા હતા અને તેમાં આશરે 12 વર્ષ ચાલી શકે તેટલું અનાજ ભરવામાં આવતું હતું. તમે તસ્વીરમાં જોઈ શકો છો કેટલું સુંદર આયોજનથી આ અનાજ ભંડાર બનાવવામાં આવ્યા છે.

૪. નવઘણ કુવો 

નવઘણ કુવા નું વાસ્તુશાસ્ત્ર અને કોતરણી જોઈને આશ્ચર્ય થાય તેવો કુવો છે.નવઘણ કુવો આશરે 180 ફૂટ ઊંડો હોવાનો માનવામાં આવે છે અને આ સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ધ્યાન રાખીને બનાવવામાં આવેલો કૂવો છે.

૫. અડી કડી વાવ 

મિત્રો આ અડી અને કડી બે વાવ અહીં આવેલી છે બંને વાવ અડી અને કડી ત્યાં કામ કરવામાં આવતી દાસીઓના નામે રાખવામાં આવ્યું છે કે જે અહીં દરરોજ પાણી ભરવા આવતી.બંને વાવ પાણીનો ભરપૂર સ્ત્રોત એ વખતે હતો અને અહીં જ શ્રવણનો જન્મ થયો હોવાનો મનાય છે. એ સિવાય એક લશ્કરી વાવ પણ અહીં આવેલી છે

૬. ગિરનાર દરવાજો અને ચૂના ચક્કી 

અહીં એક ગિરનાર દરવાજો આવેલો છે જ્યાંથી એ સમયે લોકો સીધા જ ગિરનાર તરફ જઈ શકતા હતા તેની તસવીર તમે જોઈ શકો છો અને અહીં એક બહુ મોટી ચક્કી આવેલી છે. આ ચક્કીનો ઉપયોગ અનાજ દળવામાં થયો હશે કે કેમ તેનો અંદાજ મળતો નથી.

૭. નવાબી તળાવ 

ઉપરકોટના કિલ્લાની અંદર ચોરસ આકારનું નવાબી તળાવ આવેલું છે આ તળાવ પાણીની વ્યવસ્થા રૂપે અહીં બનાવવામાં આવેલું છે લાંબા સમય સુધી જો પાણી પૂરું પાડવું હોય તો પણ સમગ્ર કિલ્લા ના લોકોને પાણીની વ્યવસ્થા મળી શકે તે માટે આ તળાવ બનાવવામાં આવેલું છે.

મિત્રો આવી જ રસપ્રદ માહિતીઓ ઇતિહાસ, સાહિત્ય અને ગુજરાતની અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહો GujaratNiVato.com સાથે

ધન્યવાદ અસ્તુ.