રાણીની વાવ પાટણ

પ્રસ્તાવના

ગુજરાત માં સ્થિત રાણીની વાવ પાટણ એ ભારતની સૌથી અદભુત વાવો માંથી એક છે. તે માત્ર વાવ જ નહીં પરંતુ પ્રેમની નિશાની છે જેને એક રાણીએ પોતાના પતિની યાદમાં બનાવડાવી હતી. 11 મી સદીમાં બનેલ આ વાવની અંદર ઉપયોગ થયેલ ટેકનોલોજીને જોઈને તમે પણ દંગ રહી જશો. 

Explore the intricate architecture of Rani Ki Vav, a UNESCO World Heritage site in Gujarat, India.

જેવી રીતે ગાંધીનગર એ આજે ગુજરાતનું કેપિટલ છે તેવી જ રીતે પાટણ એ ચાવડા વંશ ના સમયે ગુજરાતનું કેપિટલ હતું. સૌપ્રથમ આપણે વાત કરીએ પાટણની તો પાટણનું જૂનું નામ અણહિલવાડ પાટણ હતું. આ અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ તેના મિત્ર અણહિલ નામના ભરવાડ ના નામ પરથી ઈસવીસન 546 માં કરી હતી. અણહીલ કોણ હતો તો અણહિલ એ વનરાજ ચાવડા નો મિત્ર હતો જેણે વનરાજ ચાવડા માટે ખૂબ જ સારું કાર્ય કર્યું હતું. સમયાંતરે આ અણહિલવાડ પાટણ અપભ્રંશ થઈને પાટણ થઈ ગયું. ચાવડા વંશે ગુજરાતમાં 200 વર્ષ શાસન કર્યું. ચાવડા વંશ નો છેલ્લો રાજા હતો સામંતસિંહ ચાવડા. સામંતસિંહ ચાવડાને કોઈ પુત્ર ન હતો તેથી તેમના પોતાની બહેનના દીકરો એટલે કે ભાણાને ગાદી ઉપર બેસાડ્યો હતો જેનું નામ હતું મૂળરાજ સોલંકી. સોલંકી એટલે કે સોલંકી એટલે કે ચૌલુક્ય. સોલંકી વંશે ગુજરાતમાં 350 વર્ષ શાસન કર્યું અને નોંધપાત્ર વિકાસ કર્યો તેથી સોલંકી વંશને ગુજરાતનું સુવર્ણકાળ માનવામાં આવે છે. સોલંકી વંશનો પ્રથમ રાજા થયો મૂળરાજ સોલંકી તેનો પુત્ર હતો ચામુંડરાજ, ચામુંડરાજ નો પુત્ર નાગરાજ અને ત્યારબાદ ભીમદેવ સોલંકી પહેલો જેણે મોઢેરાનું સૂર્યમંદિર બનાવડાવ્યું હતું. 

ઇતિહાસ 

પાટણની રાણીની વાવ રાણી ઉદયમતીએ બનાવડાવી હતી. રાણીએ ઉદયમતીએ બનાવડાવી હોવાથી તેને રાણીની વાવ કહેવામાં આવે છે.

રાણીની વાવ ક્યારે બની???

તો રાણીની વાવ ઇસવીસન 1022 થી 1063 વચ્ચે બનાવવામાં આવી હતી. આ વાવને બનાવવામાં 41 વર્ષો થયા હતા. તેથી આ વાવને 1000 વર્ષ 2022માં પૂરા થઈ ગયા. મોટાભાગે રાજા પોતાની રાણીના માટે આવું મોનીમેન્ટ બનાવતા હોય છે, પરંતુ અહીં ઊલટું છે. અહીં રાણીએ પોતાના રાજાની યાદમાં આ મોનિમેન્ટ બનાવ્યું હતું. રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ સોલંકી પહેલાની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. 

રાણી એ વાવ જ કેમ બંધાવી??

રાણીએ વાવજ કેમ બંધાવી તો એના ત્રણ કારણો છે.

પહેલું છે રાજસ્થાન અને ગુજરાતમાં આપણે જોઈશું તો ત્યાં વાવ વધુ જોવા મળે છે કારણ કે જ્યાં પાણીની કમી હોય છે ત્યાં વધુને વધુ પાણી સ્ટોર કરી શકાય તે માટે વાવ,કુવા વગેરે બનાવવામાં આવે છે.

બીજું કે પહેલા રાજાઓના મૃત્યુ બાદ રાણી સતી થતી હતી પરંતુ અહીં રાણી સતી ન થઈ પરંતુ પોતાના પતિની યાદમાં વાવનું નિર્માણ કર્યું અને સતીપ્રથાનો વિરોધ કર્યો. 

ત્રીજું કે તેના પતિની કીર્તિ અમર રહે અને પ્રેમનો પ્રતીક જળવાઈ રહે તે માટે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

વાસ્તુકલા અને વિશેષતા 

રાણીની વાવનું આખું સ્ટ્રક્ચર સેન્ડ સ્ટોનથી બનાવવામાં આવ્યું છે.આ સેન્ડસ્ટોન ગુજરાતના સૌરાષ્ટ્રના ધાંગધ્રા કે જે પાટણથી 200 કિલોમીટર દૂર છે ત્યાંથી લાવવામાં આવેલ છે. આખું સ્ટ્રક્ચર ઇન્ટરલોક સ્ટોન લોકિંગ સિસ્ટમથી બનાવવામાં આવ્યું છે.તે એવું લોકિંગ સિસ્ટમ છે જેમાં જે પિલર ઊભા છે તેમાં મેલ ફીમેલ એક પથ્થરમાં હોલ કરીને બીજો પથ્થર તેમાં ફિટ કરવામાં આવે છે. તેમાં સિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવતો નથી. વચ્ચેના ભાગમાં વુડલોકિંગ કરવામાં આવે છે બે પથ્થરોની વચ્ચેના ગેપમાં સાત અથવા સીસમનું લાકડું ફીટ કરવામાં આવે છે જે વરસાદ આવવાથી એક્સટેન્ડ થાય તો પણ બહાર નહીં નીકળે અને જો ભૂકંપ આવશે તો પણ સ્ટ્રક્ચર વાઇબ્રેટ થશે પણ એક પણ પથ્થર પડશે નહીં 2001 માં ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ આખું સ્ટ્રકચર વાઇબ્રેટ થયું હતું પરંતુ એક પણ પથ્થર પડ્યો ન હતો. 

Nanda type rani ki Vav

આ વાવ 64 મીટર લાંબી અને 20 મીટર પહોળી છે ઉપરથી કુવો 27 મીટર ઊંડો છે. મુખ્યત્વે વાવના ચાર પ્રકાર હોય છે. જયા વિજયા નંદી અને ભદ્રા. આ વાવ નંદી પ્રકારની છે એટલે કે આપણે જ્યાંથી અંદર જઈએ ત્યાંથી જ બહાર આવવું પડે છે. તમે લોકોએ ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવ જોઈ હશે તે ભદ્રા પ્રકારની વાવ છે જેમાં અંદર ગયા બાદ બહાર આવવા માટે બે રસ્તાઓ હોય છે. તેને વીર સિંહ વાઘેલા એ પોતાની રાણી રૂડાવતી માટે 1499 માં બનાવડાવી હતી. 

રાણીની વાવ નંદી પ્રકારની વાવ છે જેના શિખર ની ડિઝાઇન નાગર પ્રકારની છે જેને મારું ગુર્જર શૈલી પણ કહેવામાં આવે છે અને સંપૂર્ણ વાવ વાસ્તુશાસ્ત્રના આધારે બનાવવામાં આવી છે જેમાં અષ્ટ દિગપાલ દર્શાવવામાં આવ્યા છે. રાણી ઉદયમતીએ તેની નક્કાશીમાં પોતાના કારીગરો પાસે તાલમેલ કરાવ્યો છે.

વાવમાં આવેલી મૂર્તિઓની વિશેષતા. 

અહીં ભગવાન વિષ્ણુના દશાવતાર દર્શાવવામાં આવ્યા છે. અહીં 299 અપ્સરાઓની મૂર્તિઓ તથા તેમને તે સમયની નારીઓની જે મેકઅપ સ્ટાઇલ છે,હેર સ્ટાઈલ છે 16 પ્રકારના સિંગાર અને આંખમાં કાજળ લગાવવું વગેરે કરતી દેખાડવામાં આવી છે.  જે તે સમયે વાવ સાત માળની હતી તેમાંથી એક માળ તૂટી ગયો છે અત્યારે છ માળની વાવ બચી છે 13 મી સદીમાં સરસ્વતી નદીમાં પુર આવવાથી આખું સ્ટ્રક્ચર તૂટી ગયું છે. એટલે વાવનો ઉપરનો થોડો ભાગ નવો બનાવવામાં આવ્યો છે.

એક મૂર્તિ માં શિવ પાર્વતી ને તેમનો મોટો પુત્ર કાર્તિકેય પોતાના માતા પિતાને પ્રણામ કરી રહ્યો છે તેમના પગમાં મોરનું ચિન્હ છે કારણ કે કાર્તિકેયનું વાહન મોરને ગણવામાં આવે છે.

અન્ય એક મૂર્તિ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે જેમાં તેમની બાજુમાં કમળ હાથમાં લઈને લક્ષ્મીજી ઊભા છે. 

બંને બાજુ ઉત્તર- પશ્ચિમ ખૂણામાં વાયુદેવ પોતાની પત્ની સાથે ઊભા છે તેમના પગમાં હરણ છે. આજે પણ આપણા ઘરની બારીઓ હવા ઉજાસ માટે ઉત્તર પશ્ચિમ બનાવીએ છીએ. 

બંને બાજુ દક્ષિણ પૂર્વ બાજુએ અગ્નિ દેવતા ની મૂર્તિઓ છે જેમના પગમાં ઘેટું છે આજે પણ વાસ્તુ પ્રમાણે રસોડું અગ્નિ ખૂણામાં હોય છે. 

ભગવાન વિષ્ણુ નો કલકી અવતાર દેખાડવામાં આવ્યો છે જેમને પગમાં ગમબૂટ પહેર્યા છે. એ સિવાય એક અપ્સરા ના પગમાં હીલ વાળા ચપ્પલ પણ જોવા મળે છે. 

હનુમાનજીની મૂર્તિ છે જેમાં બંને પનોતીઓને ભગવાન હનુમાનજીએ તેમના પગની નીચે દબાવીને રાખે છે. તેથી આપણે આપણી પનોતીઓ દૂર કરવા માટે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવું જોઈએ. 

પૂર્વ બાજુએ ભગવાન ઈન્દ્રની મૂર્તિ છે તેમનું વાહનૈરાવત હાથી છે તેથી તેમના પગ પાસે હાથીની મૂર્તિ છે. 

એક પગથીયા ઉપર દરેક પિલર જે વાવના બનાવેલા છે તેની બ્લુ પ્રિન્ટ દોરવામાં આવી છે. તેમાં ઇન્ટરલોકિંગ સિસ્ટમને સ્પષ્ટ રીતે સમજી શકાય છે.

એક બારીમાં ભગવાન વિષ્ણુ સ્વર્ગમાં સુતા છે. અહીં ભગવાન વિષ્ણુની ત્રણ મૂર્તિઓ છે જેમાં સ્વર્ગ ભૂમિ અને પાતાળ એમ ત્રણ લોકમાં ભગવાન વિષ્ણુને સુતા બતાવ્યા છે એટલે કે અનંત પદ્મનાભ.

રાણીની વાવમાં કુલ 299 અક્ષર આવો છે એક અપ્સરા આંખમાં કાજળ કરી રહી છે જે દર્શાવે છે કે તે સમયે સ્ત્રીઓ શૃંગાર કરતી હશે. એક અપ્સરા ના ખોળામાં એક બાળક રમી રહ્યું છે જે માતૃપ્રેમ દર્શાવે છે. 

એક મૂર્તિ ચામુંડેશ્વરી માતા ની છે જેમના હાથમાં ત્રિશૂળ છે. એ સિવાય વિષ્ણુ ભગવાનની ચાર મૂર્તિઓ જેમના હાથમાં ગદા, શંખ, ચક્ર અને પદ્મ છે તેવી આવેલી છે. 

rani ki vav
મહિષાસુરમર્દીની મા ભગવતી દુર્ગા

તેનાથી નીચેની સાઈડ ચોરસમાં વિવિધ ભાત પાડવામાં આવી છે પાટણના પટોળા ની ભાત એટલે કે ડિઝાઇન તેમાંથી જ લેવામાં આવી છે તેથી તેને પાટણના પટોળા ની ડિઝાઇન કહેવામાં આવે છે. 

ભગવાન વિષ્ણુના રામા અવતાર પણ અહીં સ્પષ્ટ દેખાય છે તેમની આજુબાજુ દશાવતાર દર્શાવવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુના વામન અવતારની મૂર્તિ પણ અહીં જોવા મળે છે. 

વિષ્ણુ ભગવાનનો વરાહ અવતાર તેમની આજુબાજુ ભૂમિ માતા સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળે છે. પાતાળની નાગ કન્યા પણ આજમૂર્તિમાં જોવા મળે છે. 

કાળભૈરવની મૂર્તિઓ પણ છે જેમના પગમાં કુતરાની મૂર્તિ છે.

એક વિષ કન્યા ની મૂર્તિ છે કે જેના પગમાં સાપ બતાવવામાં આવ્યો છે. ચાણક્ય નીતિમાં પણ આ વિષ કન્યાનો ઉલ્લેખ છે. જે રાજાને પોતાના મોહમાં ફસાવીને વિષ આપીને મૃત્યુ દંડ આપે છે.

ભગવાન કૃષ્ણની સાથે બલરામજી ની એક મૂર્તિ છે જેમના મસ્તિષ્ક ની પાછળ શેષનાગ છે હાથમાં કમળ છે હળ છે અને દંડ છે. 

મહાભારત સમયના કીચકની મૂર્તિ પણ અહીં દર્શાવવામાં આવી છે કે જેનો વધ ભીમ દ્વારા કરવામાં આવ્યો હતો. અને બધા જ પીલરમાં પવિત્ર કળશની કોતરણી જોવા મળે છે. 

યુનેસ્કો 

માત્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં આ એકમાત્ર મોન્યુમેન્ટ એવું છે જેને રાણીએ પોતાના પતિની યાદમાં બનાવ્યું હતું.

સો રૂપિયાની નવી નોટ ઉપર પણ રાણી ની વાવનું પ્રતીક ભારત સરકાર દ્વારા છાપવામાં આવ્યું છે. આ સિમ્બોલ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આ મોન્યુમેન્ટ એક રાણીએ બનાવડાવ્યું છે અને તેને 100 ની નોટમાં રાખવાનું કારણ એ છે કે હંમેશા નારીનું ગૌરવ વધે હંમેશા નારીનું સન્માન થાય એટલા માટે 100 ની નોટ ઉપર તેને આપવામાં આવ્યું છે.

અહીંથી બે કિલોમીટર દૂર સરસ્વતી નદી હોવાનું માનવામાં આવે છે જે લુપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેરમી સદીમાં સરસ્વતી નદીમાં બહુ મોટું પુર આવ્યું હતું જેમાં આખું સ્ટ્રકચર જમીનમાં ઘસી ગયું હતું. માત્ર કુવાનું સ્ટ્રક્ચર ખુલ્લું હતું બાકીનું સ્ટ્રક્ચર જમીનમાં ઘસી ગયું હતું. અત્યારે આજુબાજુ જે બગીચો છે ત્યાં ખેડૂતોના ખેતરો હતા તે લોકો આ કુવામાંથી કોશ દ્વારા પાણીનો ઉપયોગ જમીનમાં સિંચાઈ કરવા માટે કરતા હતા. પરંતુ ખેડૂતોને ખબર ન હતી કે નીચે આખું સ્ટ્રક્ચર દબાયેલું છે. ASI એ તેના ઉપર રિસર્ચ કર્યું અને ASI એ 1958 થી ખોદકામ કરવાનું શરૂ કર્યું હતું અને 1990 માં પૂરું કર્યું. બનવામાં 42 વર્ષો થયા અને ખોદકામ કરવામાં 32 વર્ષો થયા. 22 જૂન 2014 ના દિવસે વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કોમાં તેને સ્થાન મળ્યું.યુનેસ્કોની ઓફીસીયલ સાઈટ https://whc.unesco.org/en/list/922/ ઉપર પણ તમે એ જોઈ શકશો. એ સિવાય પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર પાવાગઢ ને 2004માં દરજ્જો મળ્યો હતો અને અમદાવાદ સિટીને 2017માં વર્લ્ડ હેરિટેજ સિટી નો દરજ્જો મળ્યો છે.

rani ki vav
rani ki vav is now world heritage site declared by UNESCO

ટ્રાવેલ ગાઈડ 

અહીં કેવી રીતે પહોંચવું??

રાણીની વાવ એ અમદાવાદથી 132 કિલોમીટર દૂર પાટણ જિલ્લાના વડા મથક માં આવેલી છે. અહીં સુધી જવા માટે સરકારી વાહનો પણ મળી રહે છે તથા પ્રાઇવેટ વહીકલ લઈને પણ જઈ શકાય છે.

ટાઈમિંગ્સ અને ફી 

રાણીની વાવ સામાન્ય રીતે સવારે 8:00 થી સાંજે છ વાગ્યા સુધી ખુલી રહે છે તથા તેને જોવા માટે ની ટિકિટ માત્ર ₹40 ઇન્ડિયન માટે અને ₹600 ફોરેનર્સ માટે રાખવામાં આવ્યા છે. તેને જોવા જવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો ગણાય છે કારણ કે ત્યારે વાતાવરણ એકદમ સોમ્ય હોય છે.

19 નવેમ્બરે દર વર્ષે વર્લ્ડ હેરિટેજ વિકમાં અહીં ખૂબ જ સુંદર લાઇટિંગ ગોઠવવામાં આવે છે તો દરેક ટુરિસ્ટ એ આ અઠવાડિયામાં રાણીની વાવ જોવા માટે જરૂર સુંદર સમય ગણી શકાય.

સારાંશ 

રાણીની વાવ એ વિશ્વનું એક અદભુત મોન્યુમેન્ટ છે જેને દરેક ટુરીસ્ટે એક વખત વિઝીટ કરવા જેવું છે જેની અદભુત કોતરણી એ ભારતના અમૂલ્ય વારસો અને ક્યાંય પણ જોવા ન મળે તેવી ટેકનોલોજી નો અદભુત સંગમ છે. તેની આજુબાજુ માત્ર સો કિલોમીટર ની રેન્જમાં પટોળા હાઉસ,સહસ્ત્રલિંગ તળાવ અને મોઢેરાનું સૂર્યમંદિર જેવા જોવાલાયક સ્થળો પણ આવેલા છે.

ચાંપાનેર-પાવાગઢ : ગુજરાતનું છુપાયેલું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ અને પ્રવાસ માર્ગદર્શિકા

ચાંપાનેર-પાવાગઢ ના મોંગા પથ્થરોએ ગુજરાતને વર્લ્ડ હેરિટેજ ના નકશા પર મૂક્યું છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ આ સ્થળને એટલે કે ચાંપાનેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ 2004 ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો આપી ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને બહુમાન બક્ષ્યું છે. વિશ્વમાં કુલ 851 વર્લ્ડ હેરિટેજ સ્થળ છે જેમાં હવે ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

ચાંપાનેર-પાવાગઢ

ચાંંપાનેર-પાવાગઢ કઈ રીતે જવું

વડોદરા થી 47 કિલોમીટર દૂર ઇશાન બાજુએ આ ઐતિહાસિક નગર આવેલું છે. પાવાગઢ પર્વત ઉપર માતા મહાકાલી નું પરમધામ લગભગ 850 મીટર ઊંચાઈએ આવેલું છે. આ સ્થળ સદીઓથી પૂજા અને યાત્રાના સ્થળ તરીકે જાણીતું છે અહીંયા મહર્ષી વિશ્વાવામિત્રએ શ્રીમહાકાલી માતાજીની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. અહીં સુઘી પહોંચવા માટે માંચી ગામ સુઘી સરકારી બસની સુવિઘા તથા પ્રાઈવેટ વાહનો પણ મળી રહે છે. ત્યાર બાદ માંચી થી રોપવે ની સુવિઘા પણ ઉપલબ્ઘ છે. જેનુ બુકીંગ તમે https://udankhatola.com/destination/kali-devi પરથી કરી શકો છો.

આ નૈસર્ગિક પર્વત પર આવેલા ચંપક નગરના રક્ષણ માટે તેના ઈશાન તરફના ચઢાણ પર જુદી જુદી જગ્યાએ ઘણી કુશળતાપૂર્વક કિલ્લેબંધી કરવામાં આવી છે.

ચાંપાનેર-પાવાગઢ

 

ચાંપાનેર-પાવાગઢ નો સંક્ષિપ્ત ઇતિહાસ 

ઇતિહાસકારોના માનવા પ્રમાણે વનરાજ ચાવડાના મંત્રી ચાંપા ભીલ (પાછળથી તે ચાંપરાજ તરીકે ઓળખાયો હતો)દ્વારા આ નગર વસાવવામાં આવ્યું હતું. આ જગ્યાએ ઇસવીસનની પહેલી સદીથી માનવ વસવાટ શરૂ થયો હતો આશરે ઈસવીસન 1300 માં અહી ચૌહાણ એ અહીં પોતાની રાજધાની સ્થાપી અને ઇસવીસન 1424 સુધી પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી. 184 વર્ષ સુધી સ્વતંત્ર રહેલા પાવાગઢના ચાંપાનેર ને મહંમદ બેગડાએ પોતાની રાજધાની બનાવી અને તેને મહમદાબાદ નામ આપ્યું હતું અને અહીંની ટંકશાળમાં પોતાનું ચલણી નાણું તૈયાર કર્યું હતું. 

 

ચાંપાનેર-પાવાગઢ

 

આશરે અડધી સદી બાદ ઈસવીસન 1535 માં સુલતાન બહાદુર શાહ ના કાળમાં દિલ્હીના બાદશાહ હુમાયુ દ્વારા ચાંપાનેર પર હુમલો કરી તેને જીતવામાં આવ્યું ત્યારબાદ અહીંથી રાજધાની બદલવામાં આવી ત્યારબાદ ચાંપાનેર નું પતન થયું.

ચાંપાનેર-પાવાગઢ

 

ચાંપાનેર-પાવાગઢ ના ફરવા લાયક સ્થળો 

ચાંપાનેરમાં આવેલ કુલ 38 સ્મારકો માંથી ભગવાન લકુલેશ મંદિર સૌથી જૂનું આશરે દસમી સદી કે કે 11મી સદીનું સૌથી જૂનું સ્થાપત્ય છે. પર્વત પરના બીજા મહત્વના સ્થાપત્યોમાં પતેય રાવળનો મહેલ, નવલખા ઠાકોર તથા મકાઈના કોઠાર તરીકે જાણીતો દુર્ગ, જૈન દેરાસર, દૂધિયું તળાવ વગેરે આવેલ છે.

 

ચાંપાનેર-પાવાગઢ

 

 ચાંપાનેર કિલ્લો અને અન્ય ઐતિહાસિક ઈમારતો

પર્વત પરની નીચેના ભાગમાં મોહમ્મદ બેગડા દ્વારા બનાવેલ ચાંપાનેર નો શાહી સમચોરસ કિલ્લો છે. બુર્જોથી સુરક્ષિત આ કિલ્લાના પ્રવેશદ્વાર પાસેના ગુંબજોની કોતરણી મનોહર છે. શાહિ કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચના ના વિવિધ અંગો ભારતીય ઈસ્લામી સુશોભન થી આગવું મહત્વ ધરાવે છે તેના પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે.

ચાંપાનેર-પાવાગઢ

 

ચાંપાનેર-પાવાગઢ ની ઇમારતો ગુજરાતની સ્થાનિક શૈલીના મહત્વના નમુના છે. તેમાં નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો કેવડા મસ્જિદ શહેરની મસ્જિદ લીલા ગુંબજ મસ્જિદ આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે.

 

પૂર્વમાં ચાંપાનેર ની બહારના વડા તળાવ ઉપર ખજુરી મસ્જિદ અને કબૂરત ખાનાના નામે જાણીતું હવા ખાવાનું સ્થળ પણ છે.

 

ચાંપાનેર-પાવાગઢ

 

કાળક્રમે દટાઈ ગયેલા નગરનો કેટલોક ભાગ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનનથી બહાર કાઢવામાં આવ્યો છે તેમાં અમીર મંઝિલના વિવિધ ભાગો માં રહેવાના ઓરડાઓ, વહેતા પાણીની સુંદર રચનાઓ વાળા બગીચાઓ વગેરે મળી આવ્યા છે. તેની મૂળ સ્થિતિ જાળવીને આ ભવ્ય વારસાની સાચવણીનું કાર્ય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નું વડોદરા મંડળ કરે છે.

ચાંપાનેર-પાવાગઢ

 

ગુજરાત સરકારે પણ આ ઐતિહાસિક વારસાના સ્થળની જાળવણી, સંરક્ષણ અને વિકાસ કરવા માટે ઈસવીસન 2000માં ટાસ્ક ફોર્સ ની રચના કરી પોતાનું યોગદાન આપેલું છે.

 

આપણું રાષ્ટ્ર માનવ સંસ્કૃતિના ઉદ્ભવનું મહત્વનું સ્થાન છે અને ઐતિહાસિક સ્મારકોનો વિશાળ ભંડાર છે તેની પ્રતીતિ ચાંપાનેરના અવશેષોને જોઈને થઈ આવે છે.

ચાંપાનેર-પાવાગઢ

ગુજરાતના અન્ય ઐતિહાસિક સ્થળો વિષે જાણવા માટે અહિં ક્લિક કરો.

https://gujaratnivato.com/historical-places/

ઘુમલીનું નવલખો મંદિર – ગુજરાતનું પ્રાચીનતમ સૂર્ય મંદિર

સુરજથી ધન સાંપડે,

સુરજથી ધણ હોય,

સુરજનું સમરણ કરે,

એને દોખી ન લંજે કોઈ

ગુજરાતના અનેક રાજવંશો માટે ભગવાન આદિત્ય એટલે કે સૂર્ય દેવ આરાધ્ય રહેલા છે. એવા ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલું નવલખો મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર ગણાય છે. આ મંદિરનો નિર્માણકાળ 11મી થી 12મી સદી વચ્ચેનો હોવાનું મનાય છે અને તે પોરબંદરના જેઠવા રાજવંશ દ્વારા બનાવાયું હોવાનું ઈતિહાસ દર્શાવે છે.

navlakha temple ghumali

જો કે ઘણા સંશોધકો માને છે કે નવલખો મંદિર મૂળરૂપે સૂર્ય મંદિર નહોતું પરંતુ શિવ મંદિર હતું, તેમ છતાં આ મંદિરનું સ્થાપત્ય અને તેનું શિલ્પકામ અત્યંત મહત્વપૂર્ણ છે. આ મંદિરને સોલંકી યુગના સ્થાપત્યનું ઉત્તમ દ્રષ્ટાંત માનવામાં આવે છે. ખાસ કરીને તેનું બે માળનું મંડપ અને સૌથી ઊંચી પીઠ તેને અનન્ય બનાવે છે.

Navlakho temple ghumali

મંદિરના ભિંતચિત્રો પર નૃત્યાંગનાઓ, સંગીતકારો અને યોદ્ધાઓનાં અદ્વિતીય શિલ્પો ઊંડાણથી કંડારાયેલા છે. બહારની દિવાલ પર સૂંઢમાં સૂંઢ પરોવાયેલા ત્રણ હાથી યુગ્મો આકર્ષણનું કેન્દ્ર છે. કહેવાય છે કે આ મંદિરના નિર્માણ માટે નવ લાખ રૂપિયાનું ખર્ચ કરાયો હતો, જેનાથી તેને “નવલખો મંદિર” નામ મળ્યું.

Navlakho temple ghumali

આ મંદિરનો પાયો ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો છે – તેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 45.72 મીટર x 30.48 મીટર છે. પૂર્વ દિશામાં એક સુંદર પ્રવેશ કમાન હતું, જેને કીર્તિ તોરણ કહેવામાં આવતું, પણ આજે તે નષ્ટ થઈ ગયું છે.

મંદિરના ભાગોમાં આવૃત પ્રદક્ષિણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને ત્રણ શૃંગાર ચોકીઓનો સમાવેશ થાય છે. ત્રણે બાજુ ચાલવાના માર્ગ પર ઝરૂખાઓ આવેલા છે. મંડપને આધાર આપતાં સ્તંભ આઠબાજુના છે અને દરેક ખૂણે દ્રશ્યમય શિલ્પકામ જોવા મળે છે. મંદિરનું પ્રવેશદ્વાર બે માળનું છે, જે દુર્લભ સ્થાપત્યનું ઉદાહરણ છે.

Navlakho temple ghumali

મંદિરની પાછળ, હાથીઓ વચ્ચે યુદ્ધ દર્શાવતાં વિશાળ શિલ્પો છે. ભદ્રગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમ બાજુએ શિવ-પાર્વતી અને ઉત્તર બાજુએ લક્ષ્મી-નારાયણની મૂર્તિઓ સ્થાપિત છે.

ઘુમલીનું નવલખો મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરની સરખામણીમાં ઉતરે છે. આ મંદિર “મારુ ગુર્જર” અથવા “સોલંકી શૈલી”માં બાંધવામાં આવ્યું છે. મંદિરના હાથીઓના ઘૂસેલા દાંતોના શિલ્પો આ શૈલીની વિશેષતા દર્શાવે છે.

મુખ્ય મંદિરની બહાર આવેલું ઘૂમલી ગણેશ મંદિર, દસમી સદીમાં નિર્મિત ગણાય છે અને તે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

દુઃખદ ઘટના એ છે કે ઈ.સ. 1313માં જામ બામણીયાજીએ તેમના પિતા જામ ઉણાજીની હારનો બદલો લેવા માટે ઘુમલી પર આક્રમણ કર્યું હતું, જેના કારણે આ મંદિરનો નાશ થયો.

Navlakho temple ghumali
Navlakho temple ghumali

આવા ઐતિહાસિક વારસાને જાળવવી આપણી જવાબદારી છે. અફસોસની વાત છે કે આપણે ઘણા સૂર્ય મંદિરો ગુમાવી ચૂક્યા છીએ. ઘુમલીનું નવલખો સૂર્ય મંદિર(Navlakho temple ghumali), જે ગુજરાતના સૌથી પ્રાચીન અને ભવ્ય મંદિરોમાંથી એક છે, તેની રક્ષા માટે આપણને સતત જાગૃત રહેવું જરૂરી છે.

Navlakho temple ghumali

આવી જ ઐતિહાસીક પોસ્ટ વાંચવા માટે GujaratniVato.com ની મુલાકાત લેતા રહો. અસ્તુ. જય હિન્દ 

અદ્ભુત સોમનાથ મંદિરનો ઇતિહાસ: શ્રદ્ધા અને શક્તિનું પ્રાચીન પ્રતીક”

સોમનાથ મંદિરનો ઇતિહાસ

સોમનાથ મંદિરનો ઈતિહાસ ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ ગણાતા આ મંદિરની વારસાગાથા છે, જે માત્ર પથ્થરનું બંધાણ નથી, પણ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સહનશક્તિનું જીવંત પ્રતીક છે. ગુજરાતના પ્રભાસ પાટણ (વેરાવળ) ખાતે સ્થિત આ મંદિર ત્યાં વસેલું છે જ્યાં હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીઓનું સંગમ થાય છે – અને એ સ્થાન તીર્થોમાં તીર્થ માનવામાં આવે છે.

🌟 ઉત્પત્તિ અને પ્રથમ સ્થાપના: 🌙 ચંદ્રદેવ, શ્રાપ અને સોમનાથ

સોમનાથ મંદિર માત્ર ઈતિહાસનું નહિ પણ અદ્ભુત દંતકથાઓનું મંદિર પણ છે. એવી એક લોકપ્રિય અને ભાવુક કથા છે ચંદ્રદેવના શ્રાપ અને ભગવાન શિવના આશીર્વાદની, જે આજે પણ ભક્તોના મનમાં જીવંત છે.

🧿 ચંદ્રદેવ અને તેની ૨૭ પત્નીઓ

દંતકથાનુસાર, ચંદ્રદેવ, દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ સાથે લગ્નસૂત્રે બંધાયા હતા. આજના સમયમાં આપણે તેમને ૨૭ નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ. જોકે, ચંદ્રદેવના હૃદયમાં ખાસ સ્થાન હતું માત્ર રોહિણી માટે, જેને તેઓ અન્ય પત્નીઓ કરતા વધુ પ્રેમ કરતા.

આ પ્રેમમાં અસંતુલન હોવાથી બાકીની ૨૬ બહેનો દુઃખી રહેવા લાગી અને છેલ્લે તેમનો પિતા દક્ષ આ અન્યાયથી આક્રોશિત થયા. દક્ષે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે:

> “તારું ક્ષય થશે – તું ક્ષીણ થતો જઈશ!”

🕉️ શ્રાપમાંથી મુક્તિ માટે શિવની આરાધના

શ્રાપના પ્રભાવથી ચંદ્રનું તેજ ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યું. જ્યારે આશા ન હતી, ત્યારે તેઓ પ્રભાસ પાટણના આ પવિત્ર તીર્થમાં આવ્યા – જ્યાં આજનું સોમનાથ મંદિર આવેલુ છે.

ત્યાં ચંદ્રદેવે ભગવાન શિવની અખંડ ઉપાસના કરી, અને શિવનું ‘મહામૃત્યુંજય મંત્ર’ દ્વારા ઘોર તપસ્યા કરી,અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને ચંદ્રદેવને શ્રાપમાંથી આંશિક મુક્તિ આપી.

🌗 ચંદ્રના વધતા-ઘટતા રૂપ પાછળનું આધ્યાત્મિક કારણ

આ કથાને આધારે માનવામાં આવે છે કે ચંદ્ર હવે 15 દિવસ વધે છે (શુકલ પક્ષ) અને 15 દિવસ ઘટે છે (કૃષ્ણ પક્ષ), જે આજે પણ નક્ષત્ર ગણનાના આધારે ચંદ્રમાસના ચક્ર તરીકે ઓળખાય છે.

આધુનિક વિજ્ઞાન આને ચાંદનીનાં ચક્રરૂપ આકારોથી સમજાવે છે, પણ આધ્યાત્મિકતા અને શ્રદ્ધા માટે, એ ચંદ્ર અને શિવજીના સંબંધની એક અદ્વિતીય કથા છે.

🛕 સોમનાથ – ચંદ્રે સ્થાપેલું પહેલું શિવલિંગ?

આ કથા મુજબ, ચંદ્રદેવે ભગવાન શિવના અનુગ્રહથી પોતાનું તેજ પુનઃ પ્રાપ્ત કર્યા બાદ, કૃતજ્ઞતાસ્વરૂપે અહીં સોમનાથના પ્રથમ સ્વરૂપની સ્થાપના કરી હતી. માન્યતાઓ અનુસાર, ચંદ્રદેવે સોનાથી બનેલું શિવમંદિર બાંધ્યું હતું. આથી તેનું નામ “સોમનાથ” પડ્યું – એટલે કે સોમનો નાથ, ચંદ્રનો શાસક. આ ઉલ્લેખ ઋગ્વેદ માં પણ જોવા મળે છે.

આ પછી:

રાવણએ ચાંદીથી મંદિર બનાવ્યું

અને ભગવાન શ્રીકૃષ્ણે ચંદનના લાકડાથી મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું પણ કહેવાય છે

📍 બાણ સ્તંભ – ભૌગોલિક ચમત્કાર અને આધ્યાત્મિક સંકેત

સોમનાથ મંદિરની ભવ્યતા માત્ર તેની ધાર્મિક મહત્તા સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તેનું ભૌગોલિક સ્થાન અને વિજ્ઞાનસંગત દૃષ્ટિ પણ વિશ્વને આશ્ચર્યચકિત કરે છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાંથી દક્ષિણ દિશામાં એક પ્રાચીન શિલાસ્તંભ ઊભો છે – જેને “બાણ સ્તંભ” કહેવામાં આવે છે.

આ પથ્થર પર ખોદાયેલા પ્રાચીન શિલાલેખ અનુસાર, આ બાણ સ્તંભ જે દિશામાં સૂચવે છે ત્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી બીજું કોઈ ભૂખંડ, ટાપુ કે પ્રદેશ આવેલો નથી. એટલે આ દિશા છે “અવિરત, અપ્રતિબંધિત ખાલી જગ્યા” – જે દરિયાં અને અંતરિક્ષના અપાર વિસ્તાર તરફ દોરી જાય છે.

> શિલાલેખમાં લખાયું છે:

“શ્રી સોમનાથ મહાદેવના ધ્વજથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી અવિરત ખાલી જગ્યા છે.”

આ બાણ સ્તંભ શિવજીના દિશાસૂચક તેજને દર્શાવે છે – જેમ કે, શિવનો જ્યોતિર્મય પ્રકાશ જે અવરોધ વિના સમગ્ર બ્રહ્માંડમાં પ્રસરે છે. આધ્યાત્મિકતા સાથે ભૌગોલિક સચોટતા ધરાવતો આ સ્તંભ ભારતના વૈજ્ઞાનિક વારસાની જીવતી સાક્ષી છે.

સોમનાથ મંદિરનો ઈતિહાસ

🛕 સૌંદર્ય અને સમૃદ્ધિનું શિખર

પ્રાચીન સમયમાં સોમનાથ મંદિર માત્ર ધાર્મિક નથી રહ્યું, પરંતુ તેનો શણગાર અને સંપત્તિ એ અન્યો માટે ઈર્ષ્યાનું કારણ બની. કહેવામાં આવે છે કે મંદિરના સંચાલન માટે 10,000 ગામડાંઓ દાનમાં અપાયાં હતાં.

આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા.

મંદિરમાં સોનાની ઘંટડીઓ ઝૂલતી

સાગના 56 વિરાટ સ્તંભો ઉપર ગર્ભગૃહ નિર્માણ થયેલું હતું અને પ્રત્યેક સ્તંભ ઉપર ભારતીય રાજાઓના નામ કોતરવામાં આવ્યા હતા અને તેમાં ભરપૂર સોના-ચાંદી અને હીરા જડવામાં આવ્યા હતા.

અહીં રત્નોથી ભરેલા ભંડાર હતા  અને ભક્તિભાવથી ભરેલા નૃત્યગીતો દ્વારા અનેક નટ-નટીઓ ભગવાન શિવ ને નૃત્ય કરી ને રીઝવતા હતા.

⚔️ આક્રમણોનું કાળચક્ર અને પુનર્જન્મની શક્તિ

ઇ.સ. 649 – વલ્લભી વંશના રાજા મૈત્રકેએ મંદિરનું પ્રથમ પુનર્નિર્માણ કર્યું.

ઇ.સ. 1025 – મહંમદ ગઝનવીએ મંદિર પર આક્રમણ કર્યું. 8 દિવસ ચાલેલા યુદ્ધ બાદ 50,000 હિન્દુ યોદ્ધાઓ શહીદ થયા. ગઝનવીએ આશરે 20 લાખ દિનાર લૂંટ્યા અને શિવલિંગ તોડી તેને ગઝની લઇ ગયો.

લૂંટ બાદ સોલંકી રાજા ભીમદેવ પ્રથમ દ્વારા મંદિર નું પુન:નિર્માણ કરવામાં આવ્યું.

ઇ.સ. 1299 – અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મંદિર તોડી નાંખ્યું.

ઇ.સ. 1308 – ચુડાસમા રાજા મહિપાલદેવ પ્રથમએ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું.

ઇ.સ. 1395 – ઝફરખાને ફરીથી ધ્વંસ કર્યું.

ઇ.સ.1414 –  અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સને 1451માં રા’માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી.

ઇ.સ. 1459 – 1511 – મહમદ બેગડાના શાસન દરમિયાન મંદિરને મસ્જિદમાં ફેરવી દેવાયું.

ઇ.સ. 1665 અને પછી 1706 – ઔરંગઝેબના આદેશથી મંદિર ફરી તોડી મસ્જિદ બનાવવામાં આવી. મૂર્તિઓ તોડી પડાઈ અને સ્થાનિક હિન્દુઓ પર બૌદ્ધિક અને ધાર્મિક દમન શરૂ થયું.

અંતે આઝાદી પહેલાના સોમનાથ મંદિર નો જીર્ણોધાર ઇ.સ.1787માં અહલ્યાબાઈ હોલકરે કરાવ્યો.

સોમનાથ મંદિરનો ઈતિહાસ
સોમનાથનું પ્રાચીન મંદિર
સોમનાથ મંદિરનો ઈતિહાસ
ઔરંગઝેબ દ્વારા મંદિર ઉપર ગુંબજ બનાવી મસ્જીદ બનાવવામાં આવી હતી તે સમયની તસવીર

–-

આઝાદી અને પુનઃ સ્થાપન: નવા યુગનો પ્રારંભ

ભારત સ્વતંત્ર થયું ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલે “સોમનાથ ફરી ઊભું થવું જ જોઈએ” એવું ઘોષિત કર્યું. કનૈયાલાલ માણેકલાલ મુનશીના સંગઠન પ્રયત્નોથી **”સોમનાથ ટ્રસ્ટ”**ની રચના થઈ.

મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ, મંદિરના પુનઃનિર્માણ માટે જનદાનથી નાણાં ભેગાં કરવામાં આવ્યાં.

11 મે, 1951 – ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે નવસર્જિત સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગ એ માત્ર મંદિર નહીં, પણ ભારતના આત્મવિશ્વાસના પુનર્જાગરણનું પ્રતીક બની રહ્યો.

સોમનાથ મંદિરનો ઈતિહાસ
નવા સોમનાથ મંદીરનું ઉદ્ઘાટન અને પૂજા કરતા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ
સોમનાથ મંદિરનો ઈતિહાસ
આઝાદી બાદનું નવનિર્મિત સોમનાથ મંદીર.

🔁 શ્રદ્ધા અનંત છે: ફરી તૂટ્યું, ફરી ઊભું થયું

સોમનાથ એ એક એવું મંદિર છે, જેને અનેકવાર તોડવામાં આવ્યું, પણ દરેક વખતના વજ્રાઘાત પછી તે વધુ ભવ્ય અને મજબૂત રીતે ઊભું થયું. કારણ કે ભગવાન શિવના પરમ ભક્તો માટે આ મંદિર માત્ર પથ્થર નહીં, પણ શ્રદ્ધા- આસ્થાનું કેન્દ્ર છે.

📢 સોમનાથ: તમારા શ્રદ્ધા યાત્રાનું કેન્દ્ર

મિત્રો, સોમનાથ મંદિરનો ઇતિહાસ માત્ર ભૂતકાળની કથા નથી – તે આજના ભારતની સહનશક્તિ, સંસ્કૃતિ અને એકતાનું દ્રષ્ટાંત છે.

જો તમે આ રીતે ગુજરાતની પૌરાણિક અને ઐતિહાસિક વારસાને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હોવ, તો જોડાયેલા રહો

👉 [gujaratnivato.com] સાથે.

અસ્તુ. જય સોમનાથ!