દ્વારકાઘીશ મંદિરનો ઈતિહાસ

dwarkadhish temple

દ્વારકાઘીશમંદિરનો ઈતિહાસ  :

દ્વારકા એટલે ચારધામમાંથી એક ધામ, દ્વારકા એટલે સપ્તપુરી માંથી એક પૂરી, દ્વારકા એટલે કરોડો લોકોની આસ્થાનો સંગમ દ્વારકા એટલે જગતના અધિપતિ શ્રી કૃષ્ણનુ પરમધામ અને અહીં આવેલું છે જગતપતિ શ્રીકૃષ્ણનું જગત મંદિર. આજે જોઈએ એ પ્રાચીનતમ જગત મંદિર નો ઇતિહાસ…

 

એવું માનવામાં આવે છે કે પ્રવર્તમાન દ્વારકાધીશનું મંદિર એ શ્રી કૃષ્ણ ભગવાનની ચોથી પેઢી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને તેમના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધ ના પુત્ર વજ્ર એ બનાવ્યું હતું. અહીં ગોકુળ મથુરા અને વૃંદાવન વાળા શ્રીકૃષ્ણ નથી પરંતુ અહીં નીતિ- રણનીતિ અને રાજનીતિ વાળા શ્રીકૃષ્ણ દ્વારકાધીશના સ્વરૂપમાં બિરાજે છે.

dwarkadhish temple

 

દ્વારકા નગરી ના નિર્માણ ની વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણ ક્યારે મથુરા છોડીને અહીંયા આવ્યા ત્યારે સૌથી મોટી સમસ્યા એ હતી કે ભગવાન પાસે ભૂમિ ન હતી તો જ્યારે ભૂમિ નહોતી તો ભગવાન શ્રીકૃષ્ણએ સમુદ્ર દેવને પ્રાર્થના કરી અને મદદ માંગી કે તમે મારી મદદ કરી શકો છો સમુદ્ર દેવ એટલે કે શ્રી લક્ષ્મીજીના પિતા સમુદ્ર દેવ્ય કહ્યું કે અમે તમને 12 યોજન ભૂમિ આપી રહ્યા છીએ પરંતુ મારી એક શરત છે કે જેટલી જમીન અમે તમને આપીએ છીએ તે અમને સમય જતા પાછી આપવી પડશે ત્યારે જ અમે તમને જમીન આપી શકીશું સમુદ્ર દેવની શરતો ભગવાન શ્રીકૃષ્ણએ માનીને અહીંયા ની 12 યોજન ભૂમિ ઉપર વિરાટ દ્વારકા નગરીનું નિર્માણ ભગવાન શ્રીવિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું.

dwarkadhish temple

પૌરાણિક કથા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ માતા ગાંધારીનાં શ્રાપના લીધે ભગવાન શ્રીકૃષ્ણના વંશજો વચ્ચે યુદ્ધ થવાથી દ્વારાવતી નો એટલે કે દ્વારકાનો સૂર્ય અસ્ત પામ્યો અને સમુદ્ર દેવને ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા વચન અનુસાર સમુદ્રદેવે પોતાની જમીન પાછી લેવા માટે પ્રયાણ કર્યું અને સમસ્ત દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ હોવાનું માનવામાં આવે છે.

 

આજે પણ જે જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણને જરા નામના પારધીએ પગમાં તીર માર્યું હતું અને જ્યાંથી ભગવાન નિજધામ વૈકુંઠ સીધાવ્યા હતા તે સ્થળે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે જેને ભાલકાતીર્થ નામે ઓળખવામાં આવે છે જે સોમનાથ પાસે આવેલ છે.

 

આજના દ્વારકાધીશ મંદિરની ખાસિયત 

આ મંદિર શાસ્ત્રો પ્રમાણે 5200 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને જો પ્રમાણિત ઈતિહાસ ની વાત કરીએ તો મંદિરના અવશેષો આશરે 1200 વર્ષ જૂના હોવાનું પ્રતિપાદિત થાય છે.

 

dwarkadhish temple

દ્વારકાના ઐતિહાસિક પુરાવા વિશે વાત કરીએ તો દ્વારકાનો સૌથી પહેલો ઉલ્લેખ ભાવનગરના પાલીતાણા માંથી મળેલ એક છઠ્ઠી સદીના તામ્રપત્રમાં જોવા મળે છે.

 

ભગવાન દ્વારકાધીશના દેવાલયને 52 ગજની ધજા છે અને આ 52 ગજની ધજા રોજ પાંચ વાર બદલવામાં આવે છે. આ ધજા જોવામાં આવે તો 27 નક્ષત્ર, 12 રાશિ, 9 ગ્રહ દેવતા અને 4 દિશાઓને મેળવીએ તો 52 ગજ  થાય છે.

dwarkadhish temple

 

આ મંદિરમાં ત્રિલોકના નાથ ભગવાન દ્વારકાધીશ ના નિયમ અને દિનચર્યા ની વાત કરીએ તો ભગવાનને રાજા ની જેમ લાડ લડાવવામાં આવે છે. દરરોજ 4 વખત આરતી, 11 વખત ભોગ, પાન બીડા અને કેસર શરબત અર્પણ કરવામાં આવે છે. રાત્રે ભગવાનને ચોપાટ પણ રમવા માટે આપવામાં આવે છે અને રાત્રે હાલરડા નું ગાન કરીને ભગવાનને સુવડાવામાં આવે છે.મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 7.00થી બપોરના 1.00 સુઘી અને સાંજના 4.00થી 7.30 સુઘીનો હોય છે.

 

dwarkadhish temple

 

જેવી રીતે આપણા સૌનો પરિવાર છે તેવી રીતે ભગવાન દ્વારકાધીશના મુખ્ય દેવાલયના પરિસરમાં તેમનો પરિવાર બિરાજે છે. ભગવાન દ્વારકાધીશ ની એકદમ સામે તેમની માતા દેવકી બિરાજે છે. તથા તે સિવાય આઠ પટરાણીઓ રુકમણી, સત્યભામા, જાંબુવતી, કાલિન્દી, મિત્રવૃંદા, સત્યા, લક્ષ્મણા અને ભદ્રાજી નો મહેલ આવેલો છે. ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમનજી તથા તેમના પુત્ર અનિરુદ્ધજી પણ અહીં બિરાજે છે. આ સિવાય માતા મહાલક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન ભોળાનાથ પણ અહીં બિરાજે છે. 

 

શ્રીદ્વારકાધીશ મંદિરના ચોથા માળે તેમના કુળદેવી શ્રીશક્તિ માતાજી બિરાજેલા છે.

 

dwarkadhish temple

 

ગોમતી નદી અને અરબ સાગરના સંગમ ઉપર વસેલી છે વિશ્વાસ અને ઇતિહાસને જોડતી આજની આધુનિક દ્વારકા નગરી. દ્વારકાની આબાદી 50,000 કરતા પણ ઓછી છે છતાં અહીંયા વર્ષે કરોડો ભક્તોનું ઘોડાપુર આવે છે.

 

આ શહેરે અલગ અલગ કાળમાં અલગ અલગ શાસકોનું શાસન જોયું છે. ગુપ્ત વંશથી લઈને રાજપૂત મરાઠા મુઘલો અને અંગ્રેજો સુધી.

dwarkadhish temple

આજે પણ આ દિવ્ય દ્વારકા ભવ્ય દ્વારકા અને સુશોભિત દ્વારકામાં દ્વારકાધીશના તેજને અહીં મહેસુસ કરી શકાય છે.

ગુજરાતનું એવું અદભુત સ્થળ જે અઘુરું હોવા છતા તેને IIM અમદાવાદના લોગોમાં સ્થાન આપવામાં આવ્યું છેે.

હેરીટેજ સીટી અમદાવાદ વિષે આપણે સૌ જાણીએ છીએ કે અહીં એક થી એક ચઢીયાતા મોન્યુમેન્ટસ આવેલા છે. આજે વાત કરવાની છે એવા જ એક મોન્યુમેન્ટ વિષે કે જેને વૈૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે અને જેને જોવા દુનિયાના અનેક દેશોના લોકો ગુજરાતમાં આવે છે. તે છે સીદી સૈયદની મસ્જીદના મહેરાબમાં આવેલ જાળીઓની…

 

સીદી સૈયદની જાળી

 

સીદીસૈયદની જાળી (siddi sayed mosque) એ અમદાવાદની એક પ્રાચીન ઓળખ છે. સીદીસૈયદની જાળી તેની શાનદાર શૈલી અને ઝીણવટ ભરી કોતરણી માટે પ્રખ્યાત છે.

સીદીસૈયદની જાળીની બનાવટમાં yellow sand stone નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે એક જ પથ્થર ઉપર નકશી કામ કરીને આ જાળીને બનાવવામાં આવી છે.

આ જાળીઓમાં ખજૂરના વૃક્ષની ડાળીઓનું નકશીકામ કરીને બનાવવામાં આવી છે. આ જાળીમાં પીપળાના વૃક્ષની ડાળીઓ પણ બનાવવામાં આવી છે અને પાંદડાઓની કલાત્મક કૃતિઓ બનાવવામાં આવી છે. 

 

siddi Sayed mosque

અંગ્રેજોના કાળમાં લોર્ડ કરજે ને આ જાડીઓની જાળવણી કરાવી હતી. બ્રિટિશ કાળ દરમિયાન આ મસ્જિદનો ઉપયોગ સરકારી કામો માટેની કચેરીના સ્વરૂપે થતો હતો. 

ઈસવીસન 1880 માં લંડન અને ન્યુયોર્ક ના મ્યુઝીયમ માં મુકવા માટે સીદી સૈયદની જાળીની નકલ કાગળ ઉપર ઉતારી તેમાંથી લાકડાના બે મોડલ બનાવવામાં આવ્યા હતા.

Siddi-Sayed-Mosque

 

રશિયાના ઝાર જ્યારે ભારતમાં આવ્યા હતા ત્યારે તેઓએ સીદીસૈયદની જાળીની મુલાકાત લીધી હતી. 

 

લંડનના મહારાણી એલિઝાબેથ પણ આ જાળીઓને જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા.

 

અહીં મસ્જિદના મહેરાબમાં કુલ ચાર જાળીઓ છે. તેમાંથી ત્રણ જાળીઓની કોતરણી જોઈ શકાય છે તથા એક જાળીમાં પથ્થરો ગોઠવવામાં આવ્યા છે એવું પણ કહેવાય છે કે ભારત આઝાદ થયું ત્યારે ચોથી જાડી અંગ્રેજો પોતાની સાથે લઈ ગયા હતા પરંતુ તેનો કોઈ પુરાવો મળતો નથી.

Siddi Sayed mosque

 

મસ્જિદ ની બાજુમાં એક બગીચો છે ત્યાં જઈને તમે આ જાડીઓની સુંદરતાને ખૂબ જ નજીકથી નિહાળી શકો છો

 

તેની ભવ્ય વિરાસત અને શાનદાર શૈલીને વિશ્વપ્રસિદ્ધ બનાવવા માટે આઈ.આઈ.એમ અમદાવાદના લોગો ઉપર પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે.

Siddi sayed mosque

 

સીદી સૈયદની મસ્જિદ નો ઇતિહાસ 

 

સીદીસૈયદની મસ્જિદ નું નિર્માણ ઈસવીસન 1572 ના દાયકા દરમિયાન સીદી સૈયદ નામના વ્યક્તિએ કર્યું હતું તે હબ્શા (ઇથોપિયા) થી યમન થઈને ગુજરાત આવ્યા હતા અને પાછળથી સુલતાન નાસીર ઉદ્દીન મહમૂદ શાહ ત્રીજા ને સેવા આપી હતી. 

 

siddi sayed mosque

 

તે ગરીબોની મદદ કરનાર ‘દરિયાદિલ’ માણસ તરીકે જાણીતા હતા અને તેમની પાસે પુસ્તકો નો મોટો સંગ્રહ હતો. તેમણે ગુજરાતના અંતિમ શાસક સુલતાન મુજફ્ફર શાહ ત્રીજો ના શાસનકાળ દરમિયાન ભવ્ય સ્મારકનું નિર્માણ કર્યું હતું. આ મસ્જિદ પથ્થરમાંથી બારીક રીતે કોતરાયેલી તેની જાળીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જેમાં એકબીજામાં વિંટાયેલા વૃક્ષો અને પાંદડાઓની કલાત્મક આકૃતિઓ છે.

 

અત્યારે ‘જીવનરૂપી વૃક્ષ’ (Tree of life) ને વ્યક્ત કરતી મસ્જિદની જાળીઓ અમદાવાદ શહેરની વિશિષ્ટ ઓળખાણ બની ગઈ છે સીધી સૈયદની મસ્જિદના પ્રાંગણમાં જ તેને બનાવનાર સીદીસૈયદની કબર છે.

Siddi sayed mosque

સીદી સૈયદની જાળીને લઈને એક રસપ્રદ અનુમાન છે કે આ આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી હશે. જોકે અનેક વિશેષજ્ઞોની માન્યતા અનુસાર, તેને જુદા જુદા પથ્થરના ટુકડાઓ પર કોતરવામાં આવી હતી અને પછી એ ટુકડાઓને અત્યંત કુશળતાથી સાંધવામાં આવ્યા. તે સમયે સીદી સૈયદે કયા પ્રકારના કારીગરો પાસે આ અદ્વિતીય કળાકૃતિ બનાવડાવી અને ટુકડાઓને જોડવા માટે શેનો ઉપયોગ થયો તે વિષય હજુ પણ સંશોધન માટે ઊંડાણથી જોઈ શકાય તેમ છે.

આ જાળી માત્ર પથ્થર પર કોતરાયેલ લાગે છે, પણ તેને જોઈને એવો ભાસ થાય છે કે  કોઈ નરમ કપડાં પર બનાવી હોય. તેનામાં ચિત્રકામ, નકશીકામ, સુથાર અને કડિયાકામ—all in one—જેમ ઉમેરાયેલા હોય એવો બેનમૂન સમન્વય છે.

આજથી લગભગ 450 વર્ષ પહેલા બનેલી આ જાળી આજે પણ તેના મૂળ સ્વરૂપમાં અડગ છે. તેની પહોળાઈ આશરે 10 ફૂટ અને ઊંચાઈ 7 ફૂટ છે—અત્યંત ભવ્ય અને ઉત્કૃષ્ટ કળાનમૂનો જે આખા વિશ્વમાં ગુજરાતની ઓળખ બની ચુક્યો છે.

સીદી સઈદે પોતાની જાગીરનાં ગામોથી મળતી આવકમાંથી એક અનોખી અને બેનમૂન મસ્જિદ બનાવવા ધીરજપૂર્વક કામ શરૂ કરાવ્યું હતું. મસ્જિદના નિર્માણ પાછળ એની માત્ર ધૂન હતી—કોઈ શોખ કે દેખાડો નહોતો. પરંતુ કાળક્રમે ઘટના એવી બની કે જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે વિવાદ સર્જાતાં સીદી સૈૈયદ પાસેથી તે ગામોની મિલકત પાછી લઈ લેવાઈ. એ દરમિયાન મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીત્યું અને સીદી સઈદની આવક પણ બંધ થઈ ગઈ. આવકના સ્ત્રોત ખતમ થતાં, તે પોતાની દિલથી બનાવતી મસ્જિદનું કામ પૂરું કરાવી શક્યો નહીં, અને મસ્જિદ અધૂરી રહી ગઈ.

આવા જ ઐતિહાસીક અને વારસાના સ્થળો વિષે વાંચવા માટે https://gujaratnivato.com/ ની મુલાકાત લેતા રહો. ગુજરાતની ઓળખ, આપણી ઓળખ.

જે વાનગીઓથી ગુજરાત વિશ્વભરમાં જાણીતુ બન્યુ છે શું તમે તેની શ્રેષ્ઠતમ જગ્યાઓ વિશે જાણો છો? જો ના તો ચાલો તે વાનગીઓ વિશે અને તેની શ્રેષ્ઠતમ જગ્યાઓ જાણીએ…આપણી સંસ્કૃૃૃૃતિને સમજીએ.

ગુજરાત તેની અવનવી વાનગીઓથી વિશ્વભરમાં જાણીતું બન્યુ છે. ત્યારે આજે આપણે ગુજરાતની એવી વાનગીઓ વિશે વાત કરવાની છે. જે ગુજરાતની ઘરોહર સમી વિખ્યાતી ઘરાવે છે અને લોકો તેને ખૂબ જ પ્રેમથી આરોગે છેે. ગુજરાતની શ્રેષ્ઠતમ વાનગીઓ ગુજરાતની શ્રેષ્ઠતમ જગ્યાએ થી ખાવાની મજા કંઇક ઓર હોય છે.તો ચાલો જાણીએ આવી વાનગીઓ વિશે અને તેની શ્રેષ્ઠતમ જગ્યા વિશે….

૧. ખમણ 

ગુજરાતી નાસ્તામાં એવું કંઈક છે જે દિવસને મીઠી શરૂઆત આપે અને એમાં સૌથી ખાસ છે ચણાના લોટની સ્વાદિષ્ટ સુંદર વાનગી અને એ છે ખમણ મોઢામાં મુક્તાવેંત જ ઓગળી જાય એવું આ ખમણ એ ખાલી નાસ્તો નથી પણ દરરોજની સુગંધ છે જે આખો દિવસ આપણને આનંદ આપે છે. આ ખમણ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે એવી વાનગી છે.

ખમણના લોકપ્રિય પ્રકારો

ગુજરાતમાં ખમણ ઘણા પ્રકારમાં મળે છે અને દરેક સ્વાદનું એક વિશિષ્ટ મહત્વ છે.

  • નાયલોન ખમણ – અત્યંત નરમ હળવું અને સહેજ લીમડાના વઘાર સાથે આ ખમણ બનાવવામાં આવે છે 
  • વાટી દાળ ખમણ- ચણાની દાળ પલાળીને બનતું અને શહેર નાયલોન ખમણ કરતા સહેજ વધારે કડક અને સ્વાદિષ્ટ 
  • અમીરી ખમણ – ખમણ ના ટુકડા ચટપટા મસાલા સાથે આ ખમણ બનાવવામાં આવે છે 
  • સેવ ખમણી – ખમણના ભૂકા ઉપર લીલી ચટણી દહીં અને સેવ ભભરાવીને આ સેવ ખમણી બનાવવામાં આવે છે. સેવ ખમણીની પણ ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા છે 

ગુજરાતની ખમણ ની દુકાનો કે જેનો સ્વાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને જેના ખમણ ખાવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે 

દાસ ખમણ હાઉસ અમદાવાદ.

અહીં વિવિઘ પ્રકારના અને વિવિઘ ફ્લેવર ઘરાવતા ખમણ તમને પીરસવામાં આવે છે. દાસ ખમણના ઘણા બઘા આઉટલેટ અમદાવાદમાં આવેલા છે અને તેની ખાસીયત એ છે કે દરેક જગ્યાએ તમને સમાન સ્વાદ આવે છે. તમે નજીકના કોઇ પણ આઉટલેટ ઉપર જઈને ખમણનો ટેસડો પાડી શકો છો.

૨. સુરતી લોચો 

પ્રોટીનથી ભરપૂર નહિવત તેલ અને ટેસ્ટી ટોપીંગથી ભરપૂર સ્વાદિષ્ટ અને જીભને ચસ્કો લગાડે એવી વાનગી એટલે સુરતી લોચો. 

ચણા અને અડદની દાળમાંથી બનતી આ વાનગી બપોરના કે સવારના નાસ્તામાં અને હલકું પણ સ્વાસ્થ્યપ્રદ રાત્રી ભોજનમાં પણ લઈ શકાય તેવી છે. 

લોચો બનવાનો ઇતિહાસ અને તેના નામ પાછળનું રહસ્ય

એક વખત એક રસોઈયો ખમણ બનાવતો હતો તે વખતે ખમણને પોચા બનાવવા માટે ભૂલથી વધારે પાણી રેડાઈ ગયુ જેનાથી આ વાનગી અસ્તિત્વમાં આવી હતી. 

તેણે જોયું કે પાણી વધુ પડી ગયું ત્યારે તેનાથી બોલાઈ ગયું “અરે આ તો લોચો થઈ ગયો” ત્યારથી તેનું નામ લોચો પડી ગયુ.

લોચાના ઘણા બધા પ્રકાર જોવા મળે છે 

જેમકે બટર લોચો, ચાટ લોચો, સેઝવાન લોચો, ચીઝ લોચો, પીઝા લોચો, લસણીયા લોચો ચાઈનીઝ લોચો વગેરે.

લોચા ની પ્રખ્યાત દુકાનો

  • ગોપાલ લોચો 

લોચા ની આ ફેમસ દુકાન સ્ટેશન રોડ, સીટી લાઈટ, અડાજણ ખાતે આવેલી છે. અહીંના વિવિધ ફ્લેવર્સ વાળા લોચો લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. 

  • જાની લોચો

પારલે પોઇન્ટ,સીટી લાઈટ ખાતે જ આ જાની લોચો દુકાન આવેલી છે. અહીં પણ લોકો અલગ અલગ લોચાનો આસ્વાદ માણીને આહલાદક અનુભવ કરે છે

૩. સેવ ઉસળ 

ઉસળ એ ફણગાવેલા કઠોળ થી બનાવેલી વાનગી છે ગુજરાતી અને મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તમને ઘણી સમાનતાઓ જોવા મળશે કારણ કે તે એકબીજામાંથી પ્રેરણા લે છે મહારાષ્ટ્રમાં ઉસળ ફણગાવેલા કઠોળ અને અન્ય વસ્તુઓથી બનાવવામાં આવે છે સેવ ઉસળની આ રેસીપી મહારાષ્ટ્રીયન વાનગી  મિશળ પાવ અને ઉસળપાવનું રૂપાંતર છે.

ચટપટી અને રશાળ મસાલેદાર આ વાનગી બરોડામાં ખૂબ જ ફેમસ છે ચાલો જોઈએ ત્યાંની એક દુકાન કે જ્યાં સેવ ઉસળ ખાવા માટે લોકો લાઈન લગાવે છે. 

  • મહાકાળી સેવ ઉસળ 

નેહરુ ભવન, પ્રાથમિક પ્લાઝા, પેલેસ રોડ, કીર્તિ સ્તંભ ની પાછળ વડોદરા ખાતે આ મહાકાળી સેવ ઉસળ આવેલું છે. સવારના 8:30 થી રાત્રિના નવ વાગ્યા સુધી તેઓ સેવ ઉસળ વહેંચે છે.

૪. જલેબી- ગુજરાતની મીઠી ઓળખ

ગુજરાતના નાસ્તામાં જલેબી એ એવી વાનગી છે જે માત્ર મીઠાઈ નથી પણ લાગણી છે, ભાવના છે. રવિવારની સવારે જ્યારે ગુજરાતી ઘરોમાં ક્રિસ્પી જલેબી જ્યારે ઘીમાં તળવામાં આવે છે ત્યારે તેની સુગંધમાં ભૂખ અને યાદો બંને તરો તાઝા થાય છે અને ગરમાગરમ જલેબીની સાથે ફાફડા અને તરબોળ ચાસણી જ્યારે પલાળાય છે ત્યારે એક અનોખો અનુભવ કરાવડાવે છે. જલેબી એ માત્ર મીઠાઈ નથી પણ પ્રસંગ તહેવાર કે નવરાત્રિની રાત્રે એની સાથે જોડાયેલી ક્ષણો પણ છે. ઠંડીની ઋતુમાં તો ગરમ જલેબી સાથે દૂધ કે ઊંધિયું પણ ખાસ પસંદગી પામે છે હવે તો ફ્યુઝન જલેબી પણ માર્કેટમાં આવી છે જેમ કે ચોકલેટ જલેબી રબડી જલેબી જેવા નવતર વિકલ્પો પણ લોકો પસંદ કરી રહ્યા છે. તમારે પણ જો જલેબી થી મોઢું મીઠું કરવું હોય અને શ્રેષ્ઠ જલેબીનો સ્વાદ લેવો હોય તો લોકપ્રિય જલેબી ની દુકાન ની મુલાકાત જરૂર લો કારણ કે ગુજરાત જલેબી વગર અધૂરું છે.

ગુજરાતની પ્રસિદ્ધ જલેબી શોપ્સ 

  • ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ જામનગર 

વિશેષતા: સો વર્ષથી પણ વધુ જૂની હોટલ છે અને અહીંની જલેબી વિશ્વપ્રસિદ્ધ છે. 

  • લખનઉ જલેબી શોપ 

અમદાવાદના રાયપુરમાં આવેલી લખનઉ જલેબી શોપ અડદની દાળની જલેબી માટે ખૂબ જ ફેમસ છે.અમદાવાદના ફૂડ લવર્સની આ ફેવરિટ જગ્યા છે.

૫.ઢોકળા – નાસ્તામાં નરમાઈ અને સ્વાદનો પરિચય

ઢોકળા એ ગુજરાતનો એવી જાતનો નાસ્તો છે જે નરમાઈ અને રુચિનો સહેલું સંમેલન છે. ચણાની દાળ અથવા રવાને ખાટા પદાર્થો સાથે ભેળવીને વરાળમાં પકવવામાં આવે છે. ત્યારબાદ તેના પર વઘાર નાખીને લીલી મરચી અને ચટણી સાથે પીરસવામાં આવે છે – જે સ્વાદની એક એવી હારમોની છે કે જે દરેક ગુજરાતી માટે ખાસ છે.

અમદાવાદના મણિનગરમાં આવેલી કેટલીક લાઈવ ઢોકળાની દુકાનો, જેમ કે “ન્યૂ રજવાડી લાઈવ ઢોકળા”, અહીં ઢોકળા તાજા બનાવાય છે અને ત્યાંજ ગરમ પીરસાય છે. સવારે 7 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા જોવા મળે – એટલો લોકપ્રિય છે આ નાસ્તો

ઢોકળાના અનેક પ્રકાર છે: ખમણ ઢોકળા, રવા ઢોકળા, તીખા ઢોકળા કે નાસ્તાના ઢોકળા – દરેકમાં અલગ રીતે રસ અને રોમાંચ છુપાયેલો હોય છે. ઘરમાં બનાવો કે બહારથી લાવો – ઢોકળા ક્યારેય ભૂલાતા નથી.

જો તમારે ગુજરાતી નાસ્તાનો અસલ સ્વાદ માણવો હોય, તો એકવાર તાજા ઢોકળા જરૂર અજમાવો – મન ભરી જાય એવો અનુભવ મળશે.

આવી જ મજેદાર પોસ્ટ જોવા માટે જોડાયેલા રહો gujaratnivato.com સાથે. ઘન્યવાદ. અસ્તુ